કેશોદ રેલ્વે સ્ટેશન ઉપર સ્ટોપ આપવામાં ન આવતાં આંદોલનનું રણશીંગુ ફુંકાયું

0

કેશોદ રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી ટ્રેન નં.૦૯૨૧૮ વેરાવળ-બાંદ્રા ટ્રેનને સ્ટોપ આપવામાં ન આવતાં કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા માંગ સ્વીકારવામાં ન આવતાં આંદોલન શરૂ કરવાનું રણશીંગુ ફુંકયું છે. કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા ફરીથી સ્મૃતિ પત્ર લખીને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અને ડિવિઝનલ મેનેજર ભાવનગર તથા સાંસદ, ધારાસભ્ય દેવાભાઈ માલમને જાણ કરી છે કે, દશ દિવસમાં હકારાત્મક અભિગમ અપનાવીને વેરાવળ બાંદ્રા ટ્રેનને કેશોદ રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવશે નહીં તો કેશોદ શહેરનાં વિવિધ વેપારી સંગઠનો અને સામાજિક સંસ્થાઓ અને જાગૃત પ્રબુધ્ધ નાગરિકોને સાથે રાખીને પોસ્ટ કાર્ડ ઝુંબેશ ઉપરાંત ભુખ હડતાળ અને પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. ભાવનગર ડિવિઝન હેઠળના કેશોદ રેલ્વે સ્ટેશન મુસાફરોની દ્રષ્ટીએ અને આવકની દ્રષ્ટિએ સૌથી વધારે ધરાવતું હોય છતાં રેલવે બાબુઓ દ્વારા કિન્નાખોરી રાખીને અને પ્રજાનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ વામણા સાબિત થતાં કેશોદ રેલ્વે સ્ટેશન ઉપર સ્ટોપ આપવામાં આવેલ નથી. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ કેશોદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોના આગેવાનોને આંદોલનમાં સાથ સહકાર આપવા અપીલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!