વિસાવદર તાલુકાના નાનીપીંડાખાઈ ગામે માર્ગ અકસ્માતમાં મૃત્યું

0

વિસાવદરનાં નાની પીંડાખાઈ ગામનાં મનસુખભાઈ માવજીભાઈ ગોધાણી (ઉવ.પ૮)એ પ્રકાશ બાલાભાઈ ભરવાડ રહે.ભલગામ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદીના મોટાભાઈ કેશુભાઈ તથા તેમની પત્ની કાંતાબેન પોતાની મોટર સાયકલ નં.જીજે-ર૧-એન-૯ર૬પની લઈને વાડીએ જતા હતા. આ દરમ્યાન સામેથી આ કામના મરણ જનાર મોટર સાયકલ નં.જીજે-૩-સીજે-૯૯૩૦ની પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી ફરીયાદીનાં ભાઈની મોટર સાયકલને હડફેટે લેતા બંનેની મોટર સાયકલ રોડ ઉપર ફંગોળાઈ જતા ફરીયાદીના ભાઈને તેમજ ફરીયાદીના ભાભીને શરીરે નાની-મોટી ઈજા કરેલ તેમજ મોટર સાયકલ ચાલકને પણ શરીરે માથામાં ગંભીર અને જીવલેણ ઈજા પહોંચાડતા તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!