જૂનાગઢ : યુવતિને મરવા મજબુર કરનાર આરોપીના જામીન ફગાવતી અદાલત

0

જૂનાગઢમાં એક પરિણીત શખ્સે યુવતીને બે વર્ષ પહેલાં પ્રેમજાળમાં ફસાવી તેના બધા રૂપિયા વાપરી નાંખી બાદમાં હડધૂત કરી મરવા મજબૂર કરનાર આરોપીની  જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. આ અંગેની વિગત મુજબ જૂનાગઢના ઘાંચી પ્લોટના રોયલ પાર્કમાં રહેતા સમીર મહંમદ રફીકભાઇ જાડેજા (ઉ. ૩૩) નામના શખ્સે એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેનું એટીએમ ક્રેડિટ કાર્ડ પોતાની પાસે લઇ પૈસા વાપરી નાંખ્યા  હતા. ત્યારબાદ યુવતિ સાથે લગ્ન કરવાની ના પાડી દેતાં યુવતીએ તા. ૪-૧૦-ર૦૧૯ ના રોજ આપઘાત કરી લીધો હતો. તેના પિતાએ સમીર મહંમદ રફીકભાઇ જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીએ જામીન અરજી કરી હતી. સરકારી વકીલ એન. કે. પુરોહિતે આ કેસમાં એવી દલીલ કરી હતી કે, જાે આરોપીને મુક્ત કરાય તો તે ધાક-ધમકી આપી સાક્ષી સાથે ચેડાં કરે એવી પૂરી શક્યતા છે જેને ધ્યાનેલઈ ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ ટી. ડી. પડીઆએ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!