વેરાવળમાં રહેતા ફોફંડી પરીવાર દ્વારા રામ મંદિર નિર્માણ માટે રૂા.રપ લાખનું દાન

0

અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી લોકો નીધીમાં દાન અર્પણ કરી રહેલ છે ત્યારે ગીર સોમનાથ જીલ્લામાંથી સૌથી વધુ દાન વેરાવળના સ્વ.વેલજીભાઇ લખમભાઇ ફોફંડી પરીવારે આપેલ હોય જેમાં સ્વ.વેલજીભાઇના પુત્રોમાં જગદીશભાઇ, રાકેશભાઇ, દીનેશભાઇ, કીશોરભાઇ, ડેનીશભાઇ ફોફંડી પરીવાર તરફથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મ ભૂમી નિધી સમર્પણ અભિયાનમાં રૂા.રપ લાખનો ચેક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ કાર્યવાહ કીશોરભાઇ ડાંગર, હસમુખભાઇ પટેલ, ઇશ્વરભાઇ આહરા, ઝવેરીભાઇ ઠકરાર, ડો.જયેશભાઇ વઘાસીયા સહીતનાને જય શ્રી રામના જયઘોષ સાથે અર્પણ કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!