આઝાદીની ચળવળથી લઈને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓનો ફાળો બહુમૂલ્ય રહયો છે : સરિતાબેન દલાલ

0

જેમ મા દુર્ગા આસુરી શકિતનો નાશ કરે છે તેજ પ્રકારે એક મહિલા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ, સમસ્યાઓ અને ખોટી શકિતઓને નાથવા માટે સક્ષમ છે. નારી શકિત સ્વરૂપા છે. એક રીતે જાેઈએ તો તે દુર્ગા સ્વરૂપા પણ છે, એવું કહેવામાં સહજ પણ અતિશયોકિત ન લાગે. આપણા દેશને આઝાદી અપાવવા માટે ચાલેલા સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરીએ તો આઝાદીની ચળવળમાં નારી શકિતનું યોગદાન આપણે કયારેય ભુલી નહીં શકીએ તેમજ વર્તમાન વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓનો ફાળો બહુુમૂલ્ય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાને આયોજીત વેબીનારને સંબોધતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના રીઝનલ આઉટરીચ બ્યુરોના નિર્દેશક સરિતાબેન દલાલે આ વાત જણાવી હતી.
૮ માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રીઝનલ આઉટરીચ બ્યુરો – અમદાવાદ, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો – અમદાવાદ તેમજ ફિલ્ડ આઉટરીય બ્યુરો – જૂનાગઢ દ્વારા ‘નારી તુ દુર્ગા’ એ વિષયને લઈને વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. શિહોરની ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં સહયોગથી આયોજીત આ વેબીનારમાં વકતા વિશેષ તરીકે રીઝનલ આઉટરીચ બ્યુરો અમદાવાદના નિર્દેશક સરીતાબેન દલાલ, જે. એસ. ગોધાણી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ- જૂનાગઢનાં પ્રિન્સીપાલ ડો.જમકુબેન સોજીત્રા, મહેરિઝમ ફાઉન્ડેશન અમદાવાદનાં મુખ્ય મનોવૈજ્ઞાનિક જસબીર કૌર થડાની અને ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર રીટાબેન લોદરીયા ઉપસ્થિત રહયા હતાં. નારી કયારેય નિવૃત થતી નથી. નારીશકિતને જાણવા તેના સ્નેહની સરિતામાં સ્નાન કરવું પડે એવું કહી ડો.જમકુબેન સોજીત્રાએ સ્ત્રી શકિતના વિવિધ પાસાઓને પોતાના સંબોધનમાં વર્ણવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે મહિલાને પુષ્પ આપીને પ્રેમ પ્રગટ કરવાને બદલે તેના વ્યકિતત્વને ખીલવવામાં સહાયરૂપ થવું અને તેનાં વિકાસમાં અંતરાયરૂપ ના થવું એ જ સ્ત્રી પ્રત્યેનો સાચો પ્રેમ અને આદરભાવ છે. આપણી રોજબરોજની ભાષામાં કેટલાક શબ્દોના પ્રયોગથી તેમજ નાની -મોટી હરકતોથી પણ આપણે જાણે- અજાણે નારીનું અપમાન કરતા હોઈએ છીએ, જે પ્રત્યે સજાગ થવું આવશ્યક છે એવું કહેતા મહેરિઝમ ફાઉન્ડેશનના મુખ્ય મનોવૈજ્ઞાનિક જસબીર કૌરે સ્ત્રીનું સન્માન જાળવવા સૌને અનુરોધ કર્યો હતો. દીકરી, બહેન, ભાભી, માતા, પુત્રવધુ જેવા સામાજીક સંબંધોથી રચાતા સ્ત્રીના નવરૂપોને નવદુર્ગાના રૂપ સાથે તુલના કરી આસિસ્ટન્ટ પ્રોેફેસર રીટા લોદરીયાએ આ કાર્યક્રમના વિષયને યોગ્ય જણાવ્યો હતો. ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવાની સાથે સ્ત્રી પ્રત્યેનો સન્માન અને આદરનો ભાવ માત્ર એક દિવસ પુરતો સીમિત ન રાખતા પ્રતિદિન જીવન પર્યંત આપણા સૌમાં રહેવો જાેઈએ તેવો અનુરોધ કરી આવનાર આંતરરાષ્ટ્રીય દિવસની સર્વેને શુભકામનાઓ પાઠવી હતી. વેબીનારમાં ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ ગુજરાત અને દેશભરમાંથી ઘણા લોકોએ ઉત્સાહભેર ભાગ લેતા વેબીનારનો ઉદેશ્ય સાર્થક થયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!