ભેંસાણ : તું આરટીઆઈથી માહિતી માંગવાનું બંધ કરી દે એવી ધમકી આપી

0

ભેંસાણ તાલુકના પરબવાવડી ખાતે રહેતા અશોકભાઈ દેસાભાઈ સાસીયા (ઉ.વ.૪૧)એ સંજય ભીખુભાઈ કાપડીયા રહે.તડકાપીપળીયા વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં આ કામના ફરીયાદીની પરબધામ નજીક જમીન આવેલ હતી જે જમીન તેઓએ પરબધામમાં આપેલ હતી. અને આ જમીનનાં બદલે ફરીયાદીને પૈસા આપેલ હતા. તેમજ બે દુકાન બનાવી આપવાની હતી અને ફરીયાદીને દુકાન ન બનાવી આપતા ફરીયાદીએ પોતાના ખર્ચે દુકાન બનાવેલ હતી અને ફરીયાદીએ આ જમીન બાબતે આરટીઆઈથી માહિતી માંગેલ હોય જેના મનદુઃખના કારણે આ કામના આરોપીએ ફરીયાદીને કહેલ કે તું આરટીઆઈથી માહિતીઓે માંગવાનું બંધ કરી દે તેમ કહી ફરીયાદીને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી અને કહેલ કે હવે તું દુકાન ખોલીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતા પોલીસે ફરીયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!