માંગરોળનાં ગાંધી ચોકમાં ગત રાત્રીનાં બિલ્ડીંગ તોડી પડાતા દુકાનોને નુકશાન

0

માંગરોળના ગાંધી ચોક વિસ્તારમાં ગત રાત્રીના સમયે બિલ્ડીંગ પાડી નાખવામાં આવતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. રસના ચિચોડા સહિતનો સામાન દટાયો છે. ગાંધી ચોકમાં બિલ્ડીંગ પચાસ વરસથી આવેલું હતું અને તેમાં ચાર પાંચ દૂકાનદારો છેલ્લા પચ્ચાસ વર્ષથી ભાડૂત તરીકે દૂકાન ચલાવતા હતા પરંતુ મુળ માલિકે અન્ય પાર્ટીને બારોબાર બિલ્ડિંગનું વેચાણ કરી નાખતા નવા માલિક દ્વારા રાતોરાત બિલ્ડીંગ તોડી પાડતા દૂકાનદારો રોડ ઉપર આવી ગયા છે. દુકાનદારોએ આ બાબતે અગાઉ પોલીસ અને માંગરોળ નગરપાલિકાને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ ગત રાત્રીના રોજ આ બિલ્ડિંગ પાડી નાખતા વેપારીઓનો લાખોનો સામાન દટાયો હતો. ગાંધી ચોકમાં આવેલા શેરડીના રસની દુકાનો સહિત દુકાનો દટાઇ ગઈ હતી. માંગરોળ નગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટર કિશનભાઇ પરમાર દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. હાલતો વેપારીઓની રોજી રોટી છીંનવાઈ જતા વેપારીઓ રસ્તા ઉપર આવી ગયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!