ગીર સોમનાથ જીલ્લાના પાંચ માર્કેટીંગ યાર્ડોમાં ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ, સરકારી નિયમમાં ફેરફારથી ખેડૂતોમાં રોષ

0

ગઈકાલથી ગીર સોમનાથ જીલ્લાના પાંચ એપીએમસી (માર્કેટીંગ યાર્ડ) ખાતે ચણાની સરકારી ખરીદીનો પ્રારંભ થયો છે. તેવા સમયે જ ચણાની ખરીદીના પ્રારંભે જ ગીર સોમનાથ જીલ્લાના ખેડૂતોમાં સરકારી ખરીદીને લઇને અસંતોષ જાેવા મળી રહયો છે. ત્યારે સરકાર દ્વારા ખાતા દીઠ ૧૨૫ મણની જગ્યાએ ખાતા દીઠ ૫૦ મણની ખરીદી કરવાનો નીયમ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જેથી સુત્રાપાડાના પ્રાસલી યાર્ડ ખાતે નારાજ ખેડૂતોએ ખરીદીનો વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકાઓમાં કુલ ૮૯,૫૭૨ હેકટરમાં રવિ પાકોનું વાવેતર થયેલ છે. જેમાંથી ૨૪,૫૭૦ હેકટર જમીનમાં ચણાના પાકનું વાવેતર થયેલ હતું. જેના કારણે ચાલુ વર્ષે ચણાના પાકનું મબલખ ઉત્પાદન પણ નોંધાયું છે. ગીર સોમનાથ જીલ્લામાં ચણાના પાકનું ટેકાના ભાવે સરકારને વેંચવા માટે ઉના યાર્ડમાં ૧,૮૨૧ ખેડૂતો, કોડીનારમાં ૨,૩૨૦, ગીરગઢડામાં ૩,૪૪૪, તાલાલામાં ૩,૫૮૨, વેરાવળમાં ૪,૧૯૬ અને સુત્રાપાડામાં ૪,૯૯૦ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરેલ છે. ત્યારે ગઈકાલથી ગીર સોમનાથ જીલ્લામાં સરકાર દ્વારા ચણાના પાકની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જે અંગે પુરવઠા અધિકારી સુશીલ પરમારે જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લામાં ૨૧,૬૧૬ ખેડૂતોએ ચણાની સરકારી ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર અને ઉના એપીએમસી ખાતે ખરીદીની શરૂઆત ગઈકાલથી કરાઇ છે. સરકારના ધારાધોરણ મુજબ સુચારૂ ખરીદી પ્રક્રિયા માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ આયોજન કરેલ છે.
સરકારે ચણાના પાકની ખરીદીના નિયમોમાં કરેલ ફેરફારથી ખેડુત વર્ગમાં નારાજગી છે. જે અંગે માલજીંજવાના ખેડુત ડી.બી. સોલંકી, બકુલાધણેજના રામજીભાઇ રાઠોડે જણાવેલ કે, સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદીમાં મોટા ભાગે ઘટાડો કરેલ છે. જેથી ઘણા ખેડૂતોમાં ખરીદીને લઇને અસંતોષ જાેવા મળી રહેલ છે. કારણ કે, ખાતા દીઠ ૧૨૫ મણની જગ્યાએ ખાતા દીઠ ૫૦ મણની ખરીદી કરવાનો નીયમ આવતા ખેડૂતોની ચિંતા વધી છે. જેથી આ નિયમમાં ફેરફાર કરી ખાતા દીઠ વધારો કરવાની માંગ ખેડુતો કરી રહયા છે. વધુમાં કહેવું છે કે, એક તરફ ગીર સોમનાથ જીલ્લામાં ચણાના પાકનું મબલખ ઉત્પાદન થયું છે તો બીજી તરફ સરકાર દ્વારા ગત વર્ષ કરતા પણ અડધી ખરીદીની જાહેરાત કરી ખેડૂતોની મજાક કરી છે. સરકારના આ ર્નિણયથી ખેડૂતોને તેની ઉપજ મજબૂરીવશ ખુલ્લા બજારમાં વેપારીઓને નીચા ભાવે વેચવાની ફરજ પડશે. જેથી આ નિયમમાં ફેરફાર કરવા માંગણી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!