શિવરાત્રીએ સાંજ સુધીમાં અડધો લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

0

ગઈકાલે મહાશિવરાત્રીએ પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે ૪ વાગ્યે ખુલ્યા ત્યારથી જ હર હર મહાદેવના નાદ સાથે કતારબંધ લાઇનમાં શિવ ભકતોનો સમુહ જાેવા મળતો હતો. મહાશિવરાત્રીના પાવન દિવસે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પુણ્યનું ભાથુ બાંધવા કોરોનાની ગાઇડલાઇનના પાલન કરતા સવારના ભાગમાં શિવ ભકતોનું ઘોડાપુર ઉમટી પડેલ નજરે પડતો હતો. જયારે બપોરના સમયે ભીડ ઓછી થયા બાદ સાંજે ફરી સામાન્ય ભીડ જાેવા મળતી હતી. સોમનાથ સાંનિધ્યે વહેલી સવારથી ઉમટેલા શિવ ભકતોના હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદથી મંદિર પરીસરમાં શિવમય વાતાવરણ જાેવા મળતુ હતુ. સોમનાથ મંદિર હોય કે પરીસર જયાં જુઓ ત્યાં ભાવિકો શિવભકિતમાં મગ્ન હોય તેવો નજારો જાેવા મળતો હતો. ગઈકાલે સવારથી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૪૨ હજારથી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું હોવાનું જાણવા મળેલ છે. સોમનાથ મહાદેવને પ્રાંત આરતીમાં વિશેષ પીળા રંગના પુષ્પો, પીતાંબરનો શૃંગાર કરવામાં આવેલ હતો. જયારે મહાશિવરાત્રી પર્વે નિમિતે સાંજે સાયં આરતી સમયે સોમનાથ મહાદેવને ખાસ ૫૦૧ કિલો રંગબેરંગી વિવિધ પુષ્પોનો અલૌકીક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી ભકતોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી. ગઈકાલે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મહાદેવને ૨૬ ભાવિકોએ ધ્વજા ચડાવેલ હતી. જયારે ૧૧ ભાવિકોએ તત્કાલ મહાપૂજા નોંધાવી ભકિત કરી હતી.
કોરોના મહામારીના કારણે સોમનાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્રે કરેલ અપીલને ભાવિકો અનુસરતા હોય તેમ તમામ ભાવિકો માસ્ક પહેરીને મંદિરે આવતા જાેવા મળતા હતા. જયારે મંદિરમાં પ્રવેશ માટે જરૂરી પાસ માટેની ઓફલાઇન પાસ મેળવવા માટે કરાયેલ સરળ વ્યવસ્થાથી ભાવિકો વિના અગવડતા શાંતિ પૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી રહયા હતા. સોમનાથ મંદિરે આવતા દરેક ભકતજનો કોરોનાની ગાઇડલાઇન મુજબ શાંતિપૂર્વક દર્શન કરી શકે અને કોઇપણ ભાવિકને દર્શન માટે અસુવીધા ન થાય તે માટે ટ્રસ્ટ, વહીવટી અને પોલીસ તંત્રએ કરેલ સુસજજ વ્યવસ્થાને દુર દુરથી આવતા ભાવિકો બિરદાવી આવકારી રહયા હતા. દર વર્ષ કરતા આ વર્ષે કોરોના મહામારીના કારણે શિવરાત્રીએ સોમનાથ આવતા ભાવિકોની સંખ્યા અડધી રહી હતી.
ગઈકાલે પાવન દિવસે મુખ્યમંત્રી વિજયભાઇના પત્ની અંજલીબેન રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવી પહોંચી પૂજા અર્ચના કરી પ્રાર્થના કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. જયારે બપોરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેએ મહાદેવના દર્શન કરી આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તેઓએ તેમના સ્વર્ગવાસી પતિના સ્મર્ણાર્થે સોમનાથ દાદાની પુજા કરી સુવર્ણકળશ, ચાંદીનું ત્રીપુટ અને ચંદ્ર અર્પણ કર્યા હતા.
ગઈકાલે મહાશિવરાત્રીના દિવસે ખાસ દિલ્હીથી આવેલ શિવભકત નવીનકાંત મિશ્રાએ જણાવેલકે, અમોએ સહપરીવાર સાથે સોમનાથ મહાદેવની આરતી અને દર્શન સારી રીતે કરી ધન્યતા પ્રાપ્ત કરી છે. અહીં કોરોનાને લઇ તંત્રએ ભાવિકો દર્શન કરી શકે તે માટે કરેલ વ્યવસ્થા પ્રસંશાને પાત્ર છે. અમોએ કોરોના મહામારીમાંથી દેશવાસીઓને બચાવી સૌનું કલ્યાણ સોમનાથ મહાદેવ કરે તેવી પ્રાર્થના કરી છે.
શિવરાત્રીએ પારંપરીક પ્રથમ ઘ્વજા પૂજાન અને ધ્વજારોહણ મંદિર ટ્રસ્ટના સેક્રેટરીના હસ્તે થઈ
મહાશિવરાત્રીએ વહેલી સવારે ૭ વાગ્યે સોમનાથ મહાદેવને પ્રાતઃ મહાપૂજા અને આરતી થઇ હતી. ત્યારબાદ ૮ વાગ્યેે શિવરાત્રી નિમિતે પારંપરીક પ્રથમ ધ્વજા પૂજા સોમનાથ ટ્રસ્ટસના સેક્રેટરી પી.કે. લહેરીના હસ્તે થઇ હતી. આ પ્રથમ ધ્વજા પૂજામાં મંદિર ટ્રસ્ટના અધિકારી દિલીપભાઇ ચાવડા, જીએમ વિજયસિંહ ચાવડા સાથે રહયા હતા. આ ધ્વપૂજા અને ધ્વજારોહણમાં બહોળી સંખ્યામાં શિવભકતો આસ્થાભેર જાેડાયા હતા. ધ્વજાપૂજા પૂર્ણ થયા બાદ મંદિરના શિખર ઉપર પૂજા કરાયેલ ધ્વજા ચડાવવા સમયે પરીસરમાં હાજર શિવભકતોએ હર હર મહાદેવનો ગગનચુંબી નાદ ગુંજવી વાતાવરણ શિવમય બનાવી દીધું હતું.
હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરીસરમાં પાલખીયાત્રા નિકળી
મંદિરના નૃત્યમંડપમાં સવારે ૯ વાગ્યે સેક્રેટરી પી.કે.લહેરીના હસ્તે પાલીખા યાત્રાનું પ્રથમ પૂજન થયુ હતુ. ત્યારબાદ શિવજીના મુંખારવિંદ સાથેની પાલખીયાત્રા મંદિર પરીસરમાં અડધો કલાક સુધી ફરી હતી. જેમાં આસ્થાભેર હર હર મહાદેવના નાદ સાથે મોટી સંખ્યામાં શિવ ભકતો જાેડાયા હતા. પાલીખીયાત્રા રૂપે ભગવાન સોમનાથ મહાદેવ નગરચર્યાએ નિકળતા હોવાનું ધાર્મીક રીતે મહત્વ હોવાથી દર વર્ષે પાલીખીયાત્રાનું શિવભકતોમાં અનેરૂ આર્કષણ રહે છે. પાલખીયાત્રાના દર્શનનો લ્હાવો લેવા અનેક શિવભકતો વહેલી સવારથી મંદિર પરીસરમાં આતુરતા પૂર્વક રાહ જાેતા હોય છે અને પાલખીયાત્રાના દર્શન કરી ઘન્યગતા અનુભવતા જાેવા મળે છે.
શિવરાત્રી અને પાલખીયાત્રાનું શું મહત્વ
મહાશિવરાત્રીના વિશેષ મહાત્મય અંગે સોમનાથ મંદિરના પૂજારી કૃણાલભાઇ કાપડીયાએ જણાવેલ કે, શિવરાત્રીના દિને ભગવાન શિવના વિવાહ થયેલ હોવાથી આ દિવસને ઉત્સાવ તરીકે ઉજવીએ છે. જેથી આને મહા પર્વ કહેવાય છે. ચાર રાત્રીનું મહત્વ એ છે જેમાં મહાશિવરાત્રી કહેવાય છે એટલા માટે આજની રાત્રીનું બહુ મોટું મહત્વ છે. સોમનાથ જયોતિર્લીંગના સાંનિધ્યમાં પ્રારંભથી પુર્ણાહુતિ સુધીમાં પ્રથમ મહાદેવને ધ્વજાપૂજન થાય છે. ત્યારબાદ પાલખીયાત્રા રૂપે મહાદેવ નગરચર્ચાએ નિકળે છે. મહાદેવની વિશેષ ચાર પ્રહરની મહાપૂજાઓ થાય છે. મહાશિવરાત્રીને લઇ સોમનાથ મહાદેવને ખાસ વિશેષ શણગાર કરવામાં આવે છે. જેમાં વરરાજાને તૈયાર કરવામાં આવે તેવી જ રીતે આજે દિવસ દરમ્યાન ભગવાન મહાદેવને રંગબેરંગી પુષ્પો, કમળો, માળાઓ અને જુદી-જુદી પાઘડીઓથી વિશેષ અલૌકિક શણગારોથી તૈયાર કરવામાં આવે છે. જયારે વિવાહ થતા હોય ત્યાઅરે વરઘોડો નિકળતો હોય તેમ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ પાલખીયાત્રા રૂપે નગરની અંદર નગરચર્યાએ નિકળતા હોવાનું ધાર્મીક રીતે મહત્વનું છે.
નારાયણ સરોવરના જલ અને કલાત્મમક પાઘડી સાથે કોટેશ્વરથી પગપાળા સંઘ સોમનાથ આવી પહોંચ્યો
સામખીયાળી ગુરૂકુળથી પૂ.સંધ્યાગીરી બાપુ ગૌશાળા અને મહંત ભગવતાનંદજી બાપુની તેમના શિષ્યુ પ્રકાશાનંદજીની સાથે આચાર્ય વૃંદ ગ્રુપના સેવકો નારાયણ સરોવરનું જલ અને કલાત્મશક પાઘડી સાથે કોટેશ્વીર મહાદેવની અભિષેક પૂજા કરી ત્યાંયથી તા.૧૪ મી જાન્યુઆરીના રોજ પદયાત્રાનો પ્રારંભ કરી ૫૫ દિવસ સુધી પદયાત્રા કરી શિવરાત્રીના પાવન દિવસે આ ગ્રુપ પગપાળા પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવના સાંનિઘ્યે પહોંચ્યો હતો. ગ્રુપના આશ્રમના પૂ.બાપુના સંકલ્પ અને સંતોની એક ભાવના હતી કે, આજે નારાયણ સરોવરની જલ ચેતના અમારા કચ્છળ અને કાઠીયાવાડને શિવ દર્શન અને ઉપાસનાના વિશેષ અધિકારો મળ્યા છે. એ અધિકારોના નાતે નારાયણ સરોવરથી સોમનાથ મહાદેવના સાંનિઘ્યે અભિષેક કરવા આવ્યાય છે. અહીં સાથે લાવેલ કલાત્મસક પાઘડી સોમનાથ મહાદેવને અર્પણ કરવાની સાથે અભિષેક કરી સંકલ્પય પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી. આ તકે સર્વે લોકો ઉપર આશીષ વરસતા રહે તેવી ગૃપના સંતો અને સેવકોએ પ્રાર્થના કરી હોવાનું જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!