વેરાવળના ભિડીયામાં ક્રીકેટ ટુર્નામેન્ટ યોજાઇ, ૪૪ ટીમોએ ભાગ લીધેલ

0

વેરાવળના ભીડીયામાં સમ્રાટ ગ્રુપ દ્રારા સ્વ.દેવજીભાઈ ગોહેલના સ્મણાર્થે દેવ સમ્રાટ કપ-૨૦૨૧ ટેનીશ ક્રિકેટ ટુનામેન્ટ યોજાઇ હતી. ભીડીયામાં દરીયા કિનારે આવેલ ક્રિકેટ મેદાનમાં ટુર્નામેન્ટ યોજાયેલ હતી. જેમાં ભીડીયા, વેરાવળ, સુત્રાપાડા, ધામળેજ અને મુળદ્રારકા સહિતા ગામોમાંથી ૪૪ જેટલી ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ફાઈનલ મેચ મગરા અને કેબલ ઈલેવન વચ્ચે રમાયેલ હતો. જેમાં રસાકસી બાદ કેબલ ઈલેવન વિજેતા થઈ હતી. બંન્ને ટીમના કેપ્ટનને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. મેન ઓફ ધ મેચ અને સીરીઝ તરીકે વિજેતા ટીમના સુમિત સોલંકીને અને બેસ્ટ બોલર તરીકે મગરા ઈલેવનના કેપ્ટન કમલેશ કુહાડાને ટ્રીફી એનાયત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!