જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં પ્રજાકીય પ્રશ્નોએ હંગામો

0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં આજે જનરલ બોર્ડની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ શાસક પક્ષના પદાધિકારીઓ તેમજ કમિશ્નર તુષાર સુમેરા તેમજ મનપાના અધિકારીઓ ઉપરાંત વિરોધ પક્ષનાં નેતા અદ્રેમાનભાઈ પંજા તેમજ કોર્પોરેટરો તેમજ કોંગ્રેસ પક્ષનાં કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આજનાં જનરલ બોર્ડમાં પ્રજાનાં પ્રશ્નોએ વિપક્ષ દ્વારા તડાફડી બોલાવવામાં આવી હતી તેમજ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણા દ્વારા ગેરકાયદેસર દોડતા મનપાનાં વાહનો અંગે પ્રશ્ન ઉઠાવી અને જીપીએસ ફીટ કરવાની માંગણી કરવામાં આવી હતી.
પ્રજાકીય પ્રશ્ને તેમજ આમજનતાનાં પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ને વિપક્ષ દ્વારા જાેરદાર રજુઆતો કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!