નાળીયેરીનાં ઝાડ ઉપર કામ કરતા સમયે એટેક આવતા કર્મચારીનું મોત

0

માંગરોળ બાગાયત વિભાગમાં હાઈબ્રીડ નાળિયેર તૈયાર કરવાની પ્રક્રિયા દરમ્યાન નાળિયેરી ઉપર ચઢી કામ કરતા કર્મચારીને એટેક આવતા તેનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ બાગાયત વિભાગમાં લખમણભાઈ હીરાભાઈ ચુડાસમા(ઉ.વ.૫૧, રહે.શેરીયાજ) ગઈકાલે સવારે નાળીયેરીના પાંદડા ઉપર બેસી કામ કરતા હતા. થોડા સમય બાદ ત્યાંથી પસાર થઈ રહેલા અધિકારીને ઝાડના પાંદડા વચ્ચે કોઈ લટકતી હાલતમાં હોવાનું ધ્યાને આવ્યું હતું.
ત્યારબાદ નજીકમાં જ રહેતા મરીન પોલીસ કમાન્ડો અને અન્ય કર્મીઓની મદદથી દોરડું બાંધી તેઓને નીચે ઊતારાયા હતા. ૧૦૮ દ્વારા તેઓને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે હહ્ય્યરોગના હુમલાથી તેઓનું મોત થયું હોવાનું જાહેર કર્યુ હતું. શેરીયાજના આગેવાન જેઠાભાઈ ચુડાસમા, તા.પં. સદસ્ય પાંચાભાઈ ડાકી, કડવાભાઈ કરગઠીયા સહિતના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા. બનાવને પગલે શેરીયાજ ગામમાં શોક પ્રસરી ગયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!