ગીરમાં એક પણ રોજડું આવશે તો ઉગ્ર આંદોલન કરવની કોંગી ધારાસભ્યની ચિમકી

0

ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ગૃહમાં નીલ ગાય (રોજડાં) મુદ્દે ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર-ઉ.ગુજરાતના રોજડાં ગીર સુધી મૂકવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિધાનસભામાં કૃષિ વિભાગની માંગણી ઉપર બોલતાં હર્ષદ રીબડિયાએ જણાવ્યું કે મારી જાણકારીમાં આવ્યું છે કે ગાંધીનગર તથા ઉ.ગુજરાતના રોજડાંઓને ગીરમાં મૂકવાના છે હું ગૃહમાં ચેલેન્જ કરૂં છું એક પણ રોજડું ગીરમાં આવશે તો નહીં મૂકવા દેવામાં આવે. જાે મૂકશો તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર વિસ્તારમાં નીલગાયની સંખ્યા બહુ જ વધી ગઈ છે અને અવારનવાર જાહેર માર્ગ ઉપર દોડતી નીલગાય લોકોને અડફેટે લે છે અકસ્માતની ઘટનાઓ સર્જાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!