રાજકોટનાં આર્કીટેકટ કુલદીપસિંહ ડોડિયાનો આજે જન્મ દિવસ

0

રાજકોટના યુવા આર્કીટેકટ અને અર્બન પ્લાનર કુલદીપસિંહ ડોડિયાનો આજ ૨૬ માર્ચના રોજ જન્મ દિવસ છે. રાજકોટની શ્રી ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચરમાંથી બી.આર્ક.ની પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ કર્યા બાદ આર્કીટેક્ટ કુલદીપસિંહ ડોડીયાએ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન, અરવિંદભાઈ પટેલ સ્કુલ ઓફ આર્કીટેકચરમાંથી માસ્ટર ઓફ અર્બન પ્લાનીંગની પરીક્ષા ઉચ્ચ ગુણાંકન સાથે પાસ કરેલ છે. અમદાવાદના ખ્યાતનામ આર્કીટેકટ કમલ મંગલદાસ અને આર્કીટેકટ અપૂર્વ અમીનનાં કાર્યાલયમાં પણ કુલદીપસિંહ ડોડીયાએ આર્કીટેકટ તરીકે કામગીરી કરેલ છે. છેલ્લા ૬ વર્ષથી કુલદીપસિંહ ડોડીયા રાજકોટમાં કાલાવડ રોડ ખાતે આવેલ ૭૦૧ રીવેરા વેવમાં આર્કીટેકટ તરીકે પોતાની સ્વતંત્ર પ્રેકટીસ કરી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસે તેમના મિત્રો, સ્નેહીઓ અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!