સાળંગપુર ખાતે હોળી-ધુળેટી ઉત્સવ નિમિત્તે હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરાયા

0

સુપ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પવિત્ર હોળી ઉત્સવ નિમિત્તે તા. ર૮-૩-ર૧ને રવિવારનાં રોજ દાદાની શણગાર આરતી કરવામાં આવેલ હતી. હોળી ઉત્સવ અંતર્ગત વિવિધ રંગો પીચકારી વિગેરે ધરવામાં આવેલ હતી. સિંહાસનને વિશેષ શણગાર કરવામાં આવેલ હતો. તેમજ ધુળેટી ઉત્સવ નિમિત્તે તા. ર૯-૩-ર૧ને સોમવારે દાદાને સફેદ કલરનાં રંગોની ભાતવાળા વાઘાનો શણગાર કરવામાં આવેલ હતો. તેમજ ૧ર જેટલા ઈકોફ્રેન્ડલી કલર ધરવામાં આવ્યા હતાં. વિવિધ રંગોવાળા માટલા રંગીને તથા પીચકારી ધરવામાં આવેલ હતી. સેવન્તીના વિવિધ રંગોનાં ફુલોથી તેમજ ઉનના રેસા અને રંગબેરંગી કાપડથી સિંહાસનને વિશેષ શણગાર કરવામાં આવેલ હતો. આ બંને ઉત્સવનો હજારો હરીભકતોએ દર્શનનો લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!