દ્વારકામાં ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગથી રમ્યા ઠાકોરજી

0

હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર ફાગણ સુદ પુનમનાં રોજ દ્વારકાધીશનાં જગત મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક પરંપરા અનુસાર દોલોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. હોળી ઉત્સવ દરમ્યાન કાળીયા ઠાકુરને ધાણી, દાળીયા, ખજુર, સુકોમેવો, મગ, ચોખા તથા મગજના લાડુનો વિશેષ ભોગ અર્પણ કરવામાં આવેલ હતો. કોરોના મહામારીને લીધે ભાવિકો માટે ત્રણ દિવસ સુધી પ્રત્યક્ષ દર્શન બંધ હોય માત્ર પુજારી પરીવાર દ્વારા દોલોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. જગત મંદિરનાં દ્વાર બંધ હોય કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!