જૂનાગઢનાં સ્વામિનારાયણ મંદિર ખાતે કોરોના વેકિસન અંગે મેગા કેમ્પ યોજાયો

0

જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ખાતે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઇ શર્માનાં માર્ગદર્શન હેઠળ સંજય પંડ્યા ગુજરાત કલાવૃદ તથા આશિષ રાવલ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ અને કુણાલ ચોવટીયા જનમત ફાઉન્ડેશન દ્વારા આયોજિત કોવિડ ૧૯ વેક્સિન મેગા કેમ્પ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે શરૂ કરેલ અને ફક્ત એક કલાકનાં સમયમાંજ ૧૭૮ લોકોએ વેક્સિનનો લાભ લીધેલ હતો. સાંજના ૮ વાગ્યા સુધીમાં અંદાજીત બે હજારથી વધુ લોકોને આ લાભ મળે તેવી આશા વ્યકત કરાય છે. દરમ્યાન મેગા કેમ્પનાં પ્રારંભ વેળાએ ભાજપ જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા, ભાજપ ગુજરાત પ્રદેશનાં વરિષ્ઠ આગેવાન પ્રદીપભાઈ ખીમાણી, સ્વામિનારાયણ મંદિર નાં સંતો તથા સિનિયર સિટીઝન મંડળ નાં વજસીભાઈ તથા ત્રણેય સંસ્થા નાં કાર્યકરો જેમા જીતુભાઈ પરમાર, વિજય સોલંકી, પ્રજ્ઞેશ રાવલ, ઈરફાન સિદ્દિકી, પરેશ જાેષી, અશરફ મેસીયા હાજર રહી સેવા આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!