જૂનાગઢનું વંથલી હવે ‘વામનસ્થળી’ શહેર તરીકે ઓળખાશે

0

જૂનાગઢ જિલ્લાનું વંથલી ગામ હવે ‘વામનસ્થળી’ શહેર તરીકે ઓળખાશે. વંથલીમાં વામન ભગવાને અવતાર લીધો હોવાથી આ ઐતિહાસિક ઘટનાને નગરપાલિકા તંત્ર દ્વારા વધુ મહત્વ આપીને નવું નામકરણ કરવા ઠરાવ કરાયો હતો. જયાં વિશ્વનું એક માત્ર વામન ભગવાનનું મંદિર આવેલ છે તે વંથલી શહેરનું નામ વામનસ્થળી કરવા વંથલી નગરપાલિકા દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશ જેઠવા દ્વારા વંથલી નગરપાલિકાને પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી કે વંથલી પૌરાણિક નગર છે. હાલના સમયમાં પણ અહીં ઐતિહાસિક વારસો સચવાયેલ છે. પૌરાણિક કથા મુજબ વામન ભગવાને અહીં અવતાર લીધો હતો ત્યારે વામનસ્થળી હતું પરંતુ હવે વંથલી તરીકે ઓળખાય છે ત્યારે આ ગૌરવવંતા ઇતિહાસને પૂર્નજીવિત કરી ફરીથી આ શહેરનું નામ વામનસ્થળી કરવા જણાવ્યું હતું. ત્યારે વંથલી નગરપાલિકાની બેઠકમાં ૨૪માંથી ૨૩ સભ્યોએ નામ બદલવા માટે સમર્થન આપ્યું છે ત્યારે આ અંગે તાત્કાલિક યોગ્ય કરી વામન ભગવાનના આ ઐતિહાસિક શહેરનું નામ વામનસ્થળી કરવા જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!