જૂનાગઢ : દરગાહે ચાદર-ફુલ ચઢાવાયા

0

કોમી એકતાના પ્રતીક એવા હઝરત વાલીએ સોરઠ મિંયા મહમૂદ સાહેબ નક્સબંદીના આસ્તાના ઉપર ઉર્ષ નિમિતે જૂનાગઢ શહેરના સર્વ પક્ષીય આગેવાનોના વરદ હસ્તે દરગાહમાં ચાદર ફૂલ ચઢાવી દેશની એકતા અને અખંડિતતા માટે પ્રાર્થના અને દરગાહના ગાદીપતિ નિસારબાપુ દ્વારા દુઆ કરવામાં આવી હતી. આ તકે ભાજપના શહેર પ્રમુખ પુનીતભાઈ શર્મા, ધારાસભ્ય ભીખાભાઈ જાેશી, સીપીએમના બટુકભાઈ મકવાણા, કાળુભાઇ કડીવાર, રમેશભાઈ બાવળીયા, જીશાંન હાલેપોત્રા, રમેશભાઈ, જીતુભાઈ મનવર, નુરાભાઈ કુરેશી, વહાબભાઈ કુરેશી, અબ્બસભાઈ કુરેશી, લાલાભાઈ બેન્સાવાલા, પ્રવીણભાઈ, કાસમભાઈ જુનેજા, રેહાન બાબી, અસ્લમભાઈ કુરેશી, સોહેલ સિદ્દીકી સહિતના હાજર રહેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!