જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભાવિકો માટે દર્શન ખૂલ્લા રહેશે, તા.ર૦ સુધી ભોજનાલય ઉતારા બંધ

0

જૂનાગઢ જવાહાર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભાવિકો માટે દર્શન ખૂલ્લા રાખવા અને ભોજનાલય ઉતારા બંધ રાખવા નિર્ણય લેવાયો છે. રાધારમણ ટેમ્પલ બોર્ડનાં ચેરમને દેવનંદદાસ, સરજદાસનંદ અને મુખ્ય કોઠારી સ્વામિ પ્રેમસ્વરૂપદાસ(નવાગઢ વાળા)એ જણાવ્યું હતું કે, હાલમાં કોરોના મહામારીનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે ટ્રસ્ટ મંડળ અને સંતોની બેઠકમાં જેમાં મંદિરમાં બિરાજમાન દેવી દેવતાઓનાં દર્શનનો સમય તા.૮-૪-ર૦ર૧ આજથી તા.ર૦-૪-ર૧ સુધી સવારે ૬ થી ૧ર અને બપોરે ૩ઃ૩૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. તેમજ ભોજનાલય અને ઉતારા બંધ રાખેલ છે. દર્શનાર્થીઓએ કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરી સેનેટાઇઝ થઈ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા મંદિરનાં પી.પી. સ્વામિએ અપીલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!