જૂનાગઢ શહેર જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના કફર્યુ ભંગ બદલ ૬પ ઈસમો સામે કાર્યવાહી

0

હાલમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડલાઇન મુજબ જૂનાગઢ કલેકટર સૌરભ પારઘી દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રીના કલાક ૮ઃ૦૦ વાગ્યાથી સવારના કલાક ૬ઃ૦૦ વાગ્યા સુધી જૂનાગઢ શહેરમાં રાત્રી કરફ્યુ રાખવામાં આવેલ હોય, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર ખાતે રાત્રી કરફ્યુના અમલ કરાવવા માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, એ ડિવિઝન પીઆઇ આર.જી. ચૌધરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી. સોલંકી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ જે.એમ. વાળા, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આર.કે. ગોહિલ, પીએસઆઇ ડી.જી. બડવા, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે. બોદર, કે.એસ. ડાંગર, એ.કે. પરમાર, વી.આર. ચાવડા, તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ કે.કે. મારૂ સહિતના અધિકારીઓ તથા વિશાળ પોલીસ કાફલાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ, બી, સી ડિવિઝન, ભવનાથ તથા તાલુકા પોલીસ સ્ટેશન સહિત સમગ્ર જૂનાગઢ શહેર વિસ્તારમાં આઝાદ ચોક, દીવાન ચોક, કાળવા ચોક, ગાંધી ચોક, ચિતાખાના ચોક, સુખનાથ ચોક, મધુરમ, ઝાંઝરડા રોડ, દોલતપરા, બીલખા રોડ, દાતાર રોડ, ભવનાથ વિસ્તાર, મજેવડી ગેઇટ સહિતના અગત્યના પોઇન્ટ ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવશે. ઉપરાંત, જૂનાગઢ શહેરના પ્રવેશવાના રોડના નાકા, જેવા કે સાબલપુર ચોકડી, બીલખા રોડ, મધુરમ ચોકડી, ઝાંઝરડા ચોકડી, ચોબારી ફાટક, ખાલીલપુર ચોકડી, ખામધ્રોળ રોડ સહિતના નાકા ઉપર પણ ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવશે. વધુમાં, શહેર વિસ્તારમાં તમામ વિસ્તારને આવરી લઈને ૧૦ જેટલી પોલીસ મોબાઈલ દ્વારા મોબાઈલ પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડની કુલ પાંચ ટીમ દ્વારા પણ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે. રાત્રી કરફ્યુના અમલ માટે કુલ ૧ ડીવાયએસપી, ૩ પો.ઇન્સ., ૧૨ જેટલા પીએસઆઇ, ૧૭૦ જેટલા પોલીસ જવાનો તથા હોમગાર્ડ સહિત આશરે ૨૦૦ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. રાત્રીના કરફ્યુ ભંગ કરતા ઈસમો ઉપર જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી, ગુન્હાઓ નોંધવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ આશરે ૬૫ જેટલા ઈસમો વિરૂદ્ધ જાહેરનામા ભંગના ગુન્હાઓ નોંધી, ધરપકડ કરવામાં આવેલ છે. આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાવઢ શહેરમાં રાત્રી કરફ્યુના અમલ કરાવવા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, કડક હાથે કામ લેવા આયોજન કરવામાં આવેલ હોય, લોકોના સ્વાસ્થ્ય અંગે રાત્રી કરફ્યુ જરૂરી હોય, લોકોને રાત્રી દરમ્યાન પોત પોતાના ઘરમાં જ રહેવા અને કરફ્યુ ભંગ કરી, કાયદાકીય કાર્યવાહીથી બચવા, જૂનાગઢ પોલીસ તરફથી વિનંતી કરવામાં આવેલ છે. આ કાર્યવાહી સરકારની ગાઈડલાઇન મુજબ ૩૦ એપ્રિલ સુધી સતત ચાલું રાખવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!