જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી વેપાર-ધંધા શરૂ : બજારો ધમધમતી થઈ

0

ગઈકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વનો નિર્ણય લઈ અનલોકની શરૂઆત કરી છે જે અંતર્ગત જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી મોટાભાગનાં વેપાર-ધંધા અને રોજગારીનાં ક્ષેત્ર ખુલવા પામેલ છે. રાજયની આમ જનતાનું હિત જળવાય અને સાથે સાથે વેપારી જગતને પણ તેમની લાગણીને ધ્યાને લઈ તેમના હિતની રક્ષા કરી આજથી મોટાભાગનાં વેપાર ક્ષેત્રને ખૂલ્લું મુકવાનો છુટો દોર આપ્યો છે. સાથે જ કેટલાક નિયંત્રણોને પણ યથાવત રાખ્યા છે અને ચોક્કસ ગાઈડલાઈનનું પાલન કરવા જણાવેલ છે. સરકારનાં નિર્ણયનાં પગલે આજથી વેપાર-ધંધા શરૂ થઈ શકયા છે. આજે જૂનાગઢ શહેરમાં પણ મોટાભાગની બજારો ખૂલ્લી ગઈ હતી અને બજારો ધમધમતા તેજીનો સંચાર થયો છે અને જનજીવન પૂર્નઃ ધબકતું થઈ ગયું છે. કોરોનાની બીજી લહેરને પગલે સમગ્ર રાજયમાં કાળો કહેર વર્તાવતા અને સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય જેને લઈને સરકારે આંશીક લોકડાઉન લગાવ્યું હતું પરંતુ કેસ ઘટવાની શરૂઆત થતા જૂનાગઢ સહિત રાજયભરમાં રાહતજનક સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગઈકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પીપાવાવ ખાતે એક મહત્વની જાહેરાત કરી છે અને જે અનુસાર ગુજરાતનાં ૮ મહાનગર સહીત ૩૬ શહેરો માટે નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. જે અંતર્ગત આ શહેરોમાં રાત્રે ૮ થી સવારે ૬ વાગ્યા સુધીનાં કફર્યુને યથાવત રાખવામાં આવેલ છે અને આજ તા.ર૧ મે રાત્રીનાં ૮ વાગ્યાથી તા.ર૮ મે સવારનાં ૬ વાગ્યા સુધી દરરોજ રાત્રીનાં કફર્યુની અમલવારી કરવાની રહેશે. તો બીજી તરફ અનલોકની શરૂઆત અંતર્ગત નાના ધંધાર્થીઓથી લઈ મોટા વેપારીઓને રાહત આપી છે અને સવારનાં ૯થી બપોરનાં ૩ વાગ્યા સુધી બજારો ખુલ્લી રહેશે તેવા ચોક્કસ દીશા નિર્દેશનાં પગલે આજથી બજારો ખુલવા પામી છે.
આવશ્યક સેવાઓ ચાલું રહેશે
• મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલું રહેશે. રાજ્યમાં ચશ્માની દુકાનોને મેડીકલ સર્વિસ – આરોગ્યલક્ષી સેવા સંલગ્ન ગણીને તે પણ ચાલું રહેશે, આ ૩૬ શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેંચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલું રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલું રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેંચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ ચાલું રહેશે. રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ અને હોમ ડિલિવરી સવારે ૯થી રાત્રે ૮ સુધી ચાલું રહેશે.
આ ધંધા રોજગાર સવારે ૯ થી બપોરે ૩ સુધી ખુલ્લા રહેશે
• ૩૬ શહેરોમાં આ નિયંત્રણો દરમ્યાન દુકાનો-વાણિજયીક સંસ્થાઓ-રેસ્ટોરન્ટ-લારી ગલ્લાઓ-શોપીંગ કોમ્પ્લેક્ષ-માર્કેટીંગ યાર્ડ-હેર કટીંગ સલુન-બ્યુટીપાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિઓ સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી ચાલું રાખી શકાશે, સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આ શહેરોમાં ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્‌સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવાઓ ચાલું રહેશે.
• ૩૬ શહેરોમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલું રહેશે. રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલું રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલંુ રાખવાનો ર્નિણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલું રહેશે. જે દરમ્યાન કોવિડ-૧૯ સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલું રહેશે જે દરમ્યાન કોવિડ-૧૯ સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાંનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે.
• સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સ્પા, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના Malls તથા Commercial Complexes બંધ રહેશે.
• સમગ્ર રાજ્યમાં છઁસ્ઝ્રમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું ખરીદ વેંચાણ ચાલું રહેશે. જે દરમ્યાન કોવિડ-૧૯ સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL ઉપર નોંધણીની જાેગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે.
રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ
• તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્‌સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલું રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલું રહેશે. ગુજરાતમાં તમામ નાગરિકોને ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરીને તેમજ વેકસીનેશન કરાવીને કોરોના સંક્રમણથી મુકત રહેવા પણ મુખ્યમંત્રીએ ખાસ અનુરોધ કર્યો છે.
સરકાર દ્વારા નવી જાહેર થયેલ યાદીમાં નીચે મુજબનાં વ્યાપાર વાણીજય ચાલું રહેશે
• પાનનાં ગલ્લા, ચાની કિટલી, હેર સલુન, હાર્ડવેરની દુકાનો, ઈલેકટ્રીકલ અને ઈલેકટ્રોનીકસની દુકાનો, રેડીમેઈડ કાપડની દુકાનો, વાસણની દુકાનો, મોબાઈલની દુકાનો, હોલસેલ માર્કેટ, પંચરની દુકાન, ગેરેજ.
આ વેપાર ધંધા બંધ રહેશે
• શૈક્ષણીક સંસ્થા, ટયુશન કલાસીસ, થીયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સ્પા, બ્યુટીપાર્લર, જીમ, સ્વીમીંગ પુલ, આ સાથે સમગ્ર પ્રકારનાં મોલસ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષ બંધ રહેશે.

error: Content is protected !!