જૂનાગઢ આહિર સમાજનાં અગ્રણી નારણભાઈ ભેટારીયાની જીલ્લા ભાજપનાં ઉપપ્રમુખ તરીકે વરણી

0

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશમહામંત્રી તથા સોૈરાષ્ટ્ર ઝોન મહામંત્રી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર જીલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ રૂપાપરા અને ધવલભાઈ દવેએ સંકલન કરી જૂનાગઢ જીલ્લા ભાજપ સંગઠનમાં સંગઠન પદાધિકારી તરીકે જવાબદારી નિયુકત કરવામાં આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીનાં કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર આહિર સમાજનાં અગ્રણી અને વડાલ સ્થિત શ્રી કિષ્ના હોટલનાં સંચાલક નારણભાઈ સરમણભાઈ ભેટારીયાની જીલ્લા ભાજપનાં ઉપપ્રમુખ તરીકે નિમણુંક થતા તેમનાં શુભેચ્છકો અને ભાજપનાં આગેવાનોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે અને નારણભાઈ ભેટારીયાને તેમનાં મો.નં.૯૮રપ૭પ૧૭૦પ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!