કોરોનાની અસરકારક દવાઓ તો છે સાથે તેની આડ અસરો પણ છે, કોઈપણ દવાની આવશ્યકતા અને અંકુશ ખુબ જરૂરી : ડો. ઉમંગ શિહોરા

0

હાલની કોરોનાગ્રસ્ત પરિસ્થિતિમાં ઘણી દવાઓ આવી રહી છે સાથે સાથે તેની આડ અસરો પણ આવી છે. તેના વિષે વોકહાર્ટ હોસ્પિટલના નિષ્ણાંત જાેઈન્ટ રિપ્લેશમેન્ટ સર્જન ડો. ઉમંગ શિહોરાએ જણાવેલ હતું કે, કોરોનાની મહામારી એ સમગ્ર વિશ્વ ઉપર માનવ જાત ઉપર કેર વર્તાવ્યો છે. આપણા દેશમાં ર૦ર૦ના વર્ષની શરૂઆતમાં જયારે આ મહામારી દેખાવા માંડી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં આ મહામારીનો સામી છાતીએ સામનો કરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નુકશાની વેઠીને તથા તેમાંથી ફરીથી બેઠા થઈને આ મહામારીને નાથવામાં આપણી માનવ જાતને સંપુર્ણપણે બીરદાવવી પડે તેમ છે. આ મહામારીને નાથવામાં તથા કોરોનાના દર્દીઓનો જીવ બચાવવામાં ખુબ જ ઉપયોગી નીવડેલી એવી એક દવા એટલે સ્ટીરોઈડ. સામાન્ય જીવનમાં પણ શારીરીક કેટ-કેટલીય બીમારીઓમાં આ સ્ટીરોઈડ નામની મેજીકલ દવા ખુબ જ સારી રીતે અને પ્રભાવશાળી પરિણામ લાવી છે તથા આપણામાં દશકાઓથી તે વપરાય છે. પરંતુ આ દવા બે ધારી તલવાર સમાન છે. જાે તેનો વિવેક પુર્વક ઉપયોગ કરવામાં ન આવે તો આ દવાની શારીરીક આડ અસર પણ ખુબ જ છે. સામાન્ય દિવસોમાં અન્ય બીમારીઓમા તો ડોકટરો આ સ્ટીરોઈડ(મેજીકલ ડ્રગ)નો ઉપયોગ વિવેક પુર્વક કરીને અસંખ્ય રોગો કે જેમાં આ દવા ફરજીયાત પણે વાપરવી પડતી હોય છે તેમાં જરૂરીયાત મુજબ ઉપયોગ કરીને સચોટ તથા સારા પરીણામો લાવે છે અને દર્દીઓની જીંદગી સુધારે છે. પરંતુ કોરોનાની આ મહામારીમાં વિવેક પુર્વક ઉપયોગ કરવા કરતા મૃત્યુના દ્ધારે ઉભેલા દર્દીના જીવનને મહત્વ આપવું એ એક જ વિકલ્પ રહેલ હતો અને જે ખુબ જ વ્યાજબી હતો. આવા કપરા સમયમાં કોરોનાના ઈન્ફેકશનના લીધે જીવન-મરણ વચ્ચે તથા ઓકિસજન-વેન્ટીલેટર ઉપર જાેલા ખાતા દર્દીઓને આ સ્ટીરોઈડ દવાઓ વધુ માત્રામાં તથા વધુ દિવસો માટે આપવાની ફરજ પડી છે. જેને કારણે આવા દર્દીઓની જયારે રીકવરી થઈ જાય છે ત્યાર બાદ અમુક સમયગાળા પછી આ દવાની આડ અસરની મુશ્કેલીઓ જાેવા મળી શકે છે. આ લેખ એજ ઉદેશથી લખવામાં આવ્યો છે કે જેથી કરીને કોરોના ઈન્ફેકશનમાંથી સુખરૂપ બહાર આવી ગયેલા દર્દીઓમાં આ આડ અસરોને શરૂઆતના તબકકામાંથી જ ઓળખી શકે. ત્વરીત નિદાન કરી શકે અને ત્યાર બાદ તેની ત્વરીત સારવાર કરી શકે. એક ઓર્થોપેડીક-જાેઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે આજે હું એવી આડ અસરોની માહિતી આપીશ કે જે આપણા શરીરના હાડકા તથા સાંધાને અસર કરતી હોય.
સ્ટીરોઈડના કારણે થતું ઓસ્ટીઓપોરોસીસ
સામાન્ય રીતે મહિલાઓમાં પ૦-૬૦ વર્ષની ઉંમર પછી જાેવા મળતી આ તકલીફ સ્ટીરોઈડ લીધેલા દર્દીમાં ગમે તે ઉંમરે જાેવા મળી શકશે. આ પરિસ્થિતિમાં હાડકાનું પોલાણ વધી જઈ શકે બી.એમ.ડી ઘટી શકે છે. તથા ફેકચર થવાની શકયતા વધી શકે છે. જે આવા શરીરના દરેક હાડકાને અસર કરતી જાેવા મળશે.
સ્ટીરોઈડ ઈન્ડયુસ્ડ એ.વી.આઈ.ટી.(હાડકાનું શુકાઈ જવું)
જે આપણા શરીરના સાંધાને અસર કરે છે. પણ ખાસ કરીને થાપાના સાંધાને કે જેમાં થાપાના ગોળાનેં શુકવી નાખે છે. જેના પરિણામે દર્દીને પલાઠી વાળીને બેસવામાં તથા ઉભડક પગે બેસવામાં તકલીફ પડે છે. થાપના સાંધામાં દુઃખાવો થવો, ચાલવામાં લંગડાવું, ગોઠણના સાંધાની તકલીફ તથા ખંભા અને કોણીના સાંધાઓમાં પણ આ આડ અસરો જાેવા મળી શકે છે. પરિણામે દર્દીને તેમાં જકડન આવી જાય છે અને દુઃખાવો પણ કરે છે. જયારે પણ કોવિડ પેશન્ટો રીકવરી બાદ આવી તકલીફોના ભોગ બને તો તેમણે હાડકા-સાંધાના નિષ્ણાંત સર્જનને બતાવી તેમના માર્ગદર્શન પ્રમાણે જરૂરી રીપોર્ટ જેમકે એકસ-રે, એમ.આર.આઈ. વગેરે કરીને તેની સારવાર ચાલું કરવી અને જાે જરૂરી બને તો તેની સર્જરી કરાવીને આવી તમામ તકલીફોમાંથી છુટકારો મેળવવો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!