મુખ્યમંત્રી આજે સાંજે સોમનાથની મુલાકાતે, રૂા.૧૬ કરોડના વિકાસકામોના ઇ-ખાતમુર્હુત અને લોકાર્પણ કરશે

0

કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે ત્યારે દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા આજે શનિવારની સમી સાંજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પધારી રહયા છે. આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રી નવનિર્મીત ડીવાયએસપી કચેરી તથા સોમનાથ નગરપાલીકા અને હસ્તકના ૧૬ કરોડથી વધુ રકમના વિકાસ કામોનું ઇ-લોકાપર્ણ અને ખાતમુર્હુત કરશે. દેવાધિદેવ સોમનાથ મહાદેવમાં અનેરી આસ્થા ધરાવતા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કોરોનાની બીજી લહેર શાંત પડતા મહાદેવને શીશ ઝુકાવવા આજે તા.૨૬ મીની સાંજે સોમનાથ આવી રહયા છે. તેઓ અહી અનેક વિકાસકામોના  ઇ-ખાતમુર્હુત અને લોકાપર્ણ કરવાના છે. તેમના કાર્યક્રમ મુજબ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.૨૬ મીનેે સાંજે પાંચ વાગ્યેે સોમનાથ પહોંચશે. બાદમાં ૫ઃ૪૫ વાગ્યે સોમનાથ સાંનિઘ્યેે રામ મંદિરના ઓડીટોરીયમમાં ઇ-ખાતમુર્હુત-લોકાપર્ણના કાર્યક્રમમાં ભાગ લેશે.  જેમાં રૂા.૫.૬૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ સોમનાથ નગરપાલીકાના ફિલ્ટર પ્લાન્ટ અને પોલીસ વિભાગ દ્વારા રૂા.૩૨ લાખના ખર્ચે બનાવાયેલ ડીવાયએસપી કચેરીનું ઇ-લોકાપર્ણ કરશે. જયારે શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના ઉકેલ માટે તૈયાર કરાયેલ સ્ટ્રોમવોટર ડ્રેનેજ – ફૂટપાથ કે જે રૂા.૧૦.૫૮ કરોડના ખર્ચે બનનાર છે આ કામનું ઇ-ખાતમુર્હુત કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી સરકારી યોજનાઓની સાથે વાવાઝોડાથી પ્રભાવિત જીલ્લાના વિસ્તાારમાં ચાલી રહેલ રાહત-સહાયની કામગીરીની સમીક્ષા કરશે. બાદમાં સોમનાથ સાંનિઘ્યે રાત્રી રોકાણ કરી તા.૨૭ જુન રવિવારે સવારે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પૂજા-અર્ચન કરી બાદમાં ગાંધીનગર જવા રવાના થનાર હોવાનું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!