જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના સ્થળોએ રસીનો જથ્થો ખૂટી પડયો, લોકોમાં નારાજગી

0

રાજયમાં એક તરફ સરકાર દ્વારા પૂરજાેશમાં વેક્સિનેશનનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ વેક્સિનેશન કેન્દ્રો ઉપર લોકોની ભીડ તો છે પણ કેન્દ્રો ઉપર વેક્સિન ખલાસના પાટિયા પડી ગયા છે. ત્યારે ચોતરફ વેક્સિનનો જથ્થો ન હોવાની બૂમો પડી રહી છે.  અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મહાનગરોમાં અનેેક વેક્સિન કેન્દ્રો ઉપર સ્ટોક નથી. જેથી હાલ અનેક સેન્ટરો બંધ છે જયાં વેક્સિનેશનનો કાર્યક્રમ અટકી પડયો છે અને અનેક લોકો વેક્સિન લીધા વગર પાછા ફરી રહ્યા છે. આમ સરકારના દાવાઓ વચ્ચે રાજયમાં અપૂરતા વેક્સિનના જથ્થાને કારણે વેક્સિનેશન મહાઅભિયાનનું સુરસુરિયું થયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જૂનાગઢ, અમદાવાદમાં કોવિડ વેક્સીનેશન મામલે શહેરમાં અંધાધૂંધી યથાવત રહી છે. અમદાવાદમાં રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી અનેક સેન્ટરો ઉપર લોકોની ભીડ જાેવા મળી રહી છે. રસી લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. ત્યારે રસી લેનારની લાંબી લાઈનમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જાેવા મળી રહ્યા છે. ભીડને કાબૂમાં લેવા પોલીસ જવાનો પણ ઉપસ્થિત છે. રસીના મળતા અપૂર્તા સ્ટોક મામલે સરકારમાંથી રસીનો સ્ટોક ન આવતો હોવાની એએમસી દ્વારા કબુલાત કરવામાં આવી છે. દૈનિક ૧ લાખ વેક્સીનેશન કરવાના સરકારના દાવાની હવા નીકળી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ૨૦ હજાર લોકોને જ રસી આપવામાં આવી હતી. જાે કે, રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી માત્ર સ્લોટ મેળવનારને જ રસી આપવામાં આવી રહી છે. સુરતમાં પણ વેક્સીનેશનમાં બુમો પડતી જાેવા મળી રહી છે. સુરતમાં ઓનસ્પોર્ટ વેક્સીન ઝુંબેશનું સુરસુરીયું થતું જાેવા મફ્રી રહ્યું છે. સુરતમાં કોવિડ વેક્સીનના અપૂરતા સ્ટોકને કારણે ૧૩૦ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે માત્ર ૧૦૦ સેન્ટરો જ હાલ પુરતા કાર્યરત છે. સુરતમાં હાલ પ્રત્યેક સેન્ટર ઉપર ૨૦૦ થી ૨૫૦ લોકોને જ વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યારે આ અંગે સોશ્યલ મીડિયા થકી લોકોને જાણકારી આપવામાં આવી રહી છે. જયારે રાજકોટ અને વડોદરામાં પણ અનેક રસીકરણ કેન્દ્રો ઉપર સ્ટોક ખલાસના પાટિયાથી લોકોમાં રોષ જાેવા મળ્યો હતો. જૂનાગઢમાં આજે વેકસીનેશન બંધ કરાયું છે. ગુજરાતના જિલ્લામાં શરૂ કરવામાં આવેલા સેન્ટરો ઉપર રસી ન આવતા લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. એપોઈટમેન્ટ બુક કરાવ્યા છતાં રસી ન મળતા લોકોએ તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે લોકોની ભીડને દૂર કરવા માટે સ્થળ ઉપર પોલીસ દોડી આવી હતી. રસી ન મળતા લોકો ફરી એકવાર નિરાશ થઈને ઘેર પરત ફર્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગે મૌન ધારણ કર્યું હતું. જયારે મોટા શહેરોની સ્થિતિ આવી છે તો નાના સેન્ટરો વિષે શી વાત કરવી આમ વેક્સિનેશનને મહાઅભિયાનને પાર પાડવાનો આશય વેક્સિનના અપૂરતા જથ્થાને કારણે સફળ થયો ના હોય તેવું લાગી રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!