ઉના :  આપ દ્વારા જનસંવેદના કાર્યક્રમ યોજાયો

0

ઉના, ગીરગઢડા તાલુકામાં આમ આદમી પાર્ટી આયોજિત કોરોનાથી મૃત્યુ પામેલ પરિવારોના ગામોમાં જન સંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિલ્હીથી ગુલાબ સિંહ યાદવ, પાર્ટી અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા, પાર્ટી નેતા ઈશુદાનભાઈ ગઢવી, સૌરાષ્ટ્ર સંગઠન મંત્રી નિમિષાબેન, હરેશભાઈ બલદાનિયા, અશ્વિનભાઈ વિગેરે આગેવાનોએ કાર્યક્રમની શરૂઆત સોમનાથ દાદાની પૂજા વિધિથી કરવામાં આવી હતી અને તાલુકાના સિમાસી, પાલડી, નગડિયા, વાંકિયા, મોટા સમઢિયાળા, વડવિયાળા, જામવાળા ગામે મુલાકાત કરીને કોરોના કાળમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલી પાઠવી હતી અને નગડિયા ગામે રાત્રિ રોકાણ દરમ્યાન અને વડવિયાળા ગામે બપોરના ભોજન દરમ્યાન અનેક લોકો ભાજપ, કોંગ્રેસ સાથે છેડો ફાડીને પોતાના કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા. જેમાં પાલડી ગામના સરપંચ કમલેશભાઈ પણ ભાજપને અલવિદા કરીને આપમાં વિધિવત રીતે જાેડાય ગયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!