જૂનાગઢ સહિત આઠ મહાનગરોમાં આંતરમાળખાકીય સુવિધાનાં વિકાસ કામો માટે રૂા.૧પપપ કરોડ મંજૂર

0

ગુજરાત રાજ્યના મહાનગરો-નગરોને જનસુખાકારીના કામોથી સુવિધાસભર બનાવવા રાજ્યની સ્થાપનાના સુવર્ણજ્યંતિ વર્ષ ર૦૦૯થી સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજનાનો મુખ્ય હેતુ નગરો-મહાનગરોમાં ભોૈતિક-સામાજિક આંતરમાળખાકીય સુવિધા વિકાસ કામોથી લોકહિત કાર્યોને વેગ આપી શહેરી જનજીવન સુખાકારીમાં વૃદ્ધિ કરવાનો છે. રાજ્ય સરકારે આ માટે ર૦-ર૧ના વર્ષમાં આઠ મહાનગરોમાં આવા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કાર્યો માટે ૧૫૫૫ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરો, મહાનગરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ તેમજ સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સહિતના વિવિધ જનહિત વિકાસ કામો માટે સ્વર્ણિમ  જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત માતબર રકમ ફાળવવાનો ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર અમદાવાદ મહાનગરપાલિકાને આવા વિકાસ કામો માટે ૭૦૨ કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો લોકહિતકારી ર્નિણય કર્યો છે. જે અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં ભૌતિક આંતરમાળખાકીય વિકાસના ૬૩ કામો માટે રૂા. ૩૫૪.૮૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ૬૩ કામોમાં રસ્તા રીસરફેસ તથા માઇક્રો સરફેસીંગના ૨૨ કામો, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ૧૩, પાણી પુરવઠાના ૨, ફાયર સાધનો ૨ તથા સોલા ગામ તળાવ ડેવલપમેન્ટનું ૧ અને વિવિધ ઝોનના ૨૧ વિકાસ કામોનો સમાવેશ થાય છે. સાથે જ, મહાનગરપાલિકા વિસ્તારમાં સામાજીક આંતરમાળખાકીય વિકાસના કામો માટે રૂા. ૮૫ કરોડની રકમ ફાળવી છે. એટલું જ નહિ, ૨ રેલ્વે ઓવરબ્રીજ અને ૧ રેલ્વે અંડરબ્રીજ એમ ૩ કામો માટે રૂા. ૮ કરોડની ફાળવણી કરવાનો પણ ર્નિણય અમદાવાદ મહાનગર માટે કર્યો છે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ કાર્યરત એવા રોડ-રસ્તા, પાણી, ગટર વિગેરેના પ્રોજેકટસ માટે રૂા. ૧૬૪ કરોડની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે રસ્તા- માર્ગોના ૪૧ કામો માટે ૯૦ કરોડ રૂપિયા ફાળવવાનો ર્નિણય પણ કર્યો છે. અમદાવાદ મહાનગર માટે રૂા. ૫૭૬ કરોડ, સુરત માટે રૂા. ૪૭૦ કરોડ, વડોદરા માટે ૧૭૬ કરોડ, રાજકોટ માટે રૂા. ૧૪૦ કરોડ તેમજ ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર માટે અનુક્રમે રૂા. ૬૫ કરોડ, ૬૨ કરોડ, ૩૨ કરોડ અને ૩૩ કરોડ એમ સમગ્રતયા ૧૫૫૫ કરોડ રૂપિયા મંજૂર કરીને મહાનગરોને ચૂકવી દેવાયા છે. ર૦ર૧-રરના આ વર્ષમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૮ મહાનગરોમાં આંતરમાળખાકીય સુવિધાના કામો માટે સરકારે કુલ ૧૬૯૯ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના તહેત રાજ્યની નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં રસ્તાના કામો માટે ૩૦૦ કરોડ રૂપિયાની જાેગવાઇ થયેલી છે. આ રકમમાંથી ૮ મહાનગરો માટે ર૦૦ કરોડ રૂપિયા વર્ષ ૨૦૨૦-૨૧માં મંજૂર થયેલા છે તથા ર૦ર૧-રર માટે પણ રૂા. ૨૦૦ કરોડની ફાળવણી સરકારે કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!