વેરાવળ-સોમનાથની બે લાખની વસતી છતે પાણીએ વલખા મારવા મજબૂર

0

વેરાવળ-સોમનાથની બે લાખની પ્રજા બારેક દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહી છે. જેના માટે જવાબદાર ગણાતું પાલિકા તંત્ર સિંચાઇ વિભાગને ખો આપી બચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે લોકોને વલખા મારવા મજબુર કરવા માટે કોણ જવાબદાર પાલિકા કે સિંચાઇ ? તે અંગે તટસ્થ તપાસ કરાવી જે કોઇ જવાબદાર હોય તેના વિરૂધ્ધ પગલા ભરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી લેખિત રજુઆત કોંગી નગરસેવકએ જીલ્લા કલેકટરને કરતા મામલો ગરમાયો છે.  વેરાવળ-સોમનાથ જાેડીયા શહેરને પુરૂ પાડતા હિરણ-૨(ઉમરેઠી) ડેમ દર વર્ષે ચોમાસામાં છલકાતો હોવા છતાં પાલિકાની અણઆવડતના કારણે લોકોને હમેંશા પીવાનું પાણી મેળવવા માટે વલખા મારવા પડે છે. દરમ્યાન ચાલું વર્ષે સિંચાઇ વિભાગે પાલિકાની જાણ બહાર પાણી છોડી દીધેલ હોવાથી જાેડીયા શહેરમાં પાણીની સમસ્યા ઉભી થઇ હોવાના પાલિકાના શાસકો દાવા કરી રહ્યા હતા. જેથી કોંગ્રેસના નગરસેવક અફઝલ પંજાએ ગઇકાલે ડેમની મુલાકાતે જઇ માહિતી મેળવી હતી. જે અંગે તેમણે જણાવેલ કે, ડેમમાં ઓગષ્ટ માસ સુધી ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. જયારે એપ્રીલ માસમાં જ પાણી ઉપાડવા અંગે વૈકલ્પીક વ્યવસ્થા કરવા સિંચાઇ વિભાગએ લેખિતમાં પાલિકા તંત્રને જાણ કરી હોવા છતાં કોઇ વ્યવસ્થા કેમ ન કરી ? તે સવાલનો જવાબ પાલિકાના પદાધિકારીઓએ આપવો જાેઇએ. આ મામલે કોંગી નગરસેવક અફઝલ પંજાએ જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરેલ જેમાં જણાવેલ કે, એક તરફ જાેડીયા શહેરને સ્માર્ટ સીટી બનાવવાના બણગા ફુંકવા અને બીજી તરફ છતે પાણીએ બે લાખ શહેરીજનોને વલખા મારવા પડે તે શરમજનક બાબત છે. બે વિભાગોની રમત વચ્ચે નિર્દોષ શહેરીજનો ભરઉનાળે પાણી માટે પરેશાની ભોગવી રહ્યા છે. જે પાલિકાની અણઆવડતની સાબિતી સમાન છે. ત્યારે બે લાખની પ્રજાને પાણી માટે વલખા મારવા માટે જવાબદાર કોણ ? તે સવાલ છે. ત્ય ારે આ પરિસ્થિતિ સર્જાવા પાછળ કોની બેદરકારી છે ? તે અંગે તપાસ કરાવવા માંગણી છે. જેમાં જે કોઇ જવાબદાર હોવાનું ફલિત થાય તો તેની વિરૂધ્ધ કાયદેસરના પગલા ભરવા માંગણી છે. અત્રે નોંધનીય છે કે, જાેડીયા શહેરમાં ઉદભવેલ પીવાના પાણીની સમસ્યા બાબતે સોશ્યલ મિડીયામાં લોકો પાલિકાના પદાધિકારીઓ સામે રોષ ઠાલવી રહ્યા છે. તો પાલિકાના શાસકો પાણીની સમસ્યા ઉકેલવા દોડધામ કરતા હોવાની પોસ્ટો સોશ્યલ મિડીયામાં વાયરલ કરી સહાનભુતિ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. જેનો પણ શહેરીજનો વિરોધ કરતા જાેવા મળે છે. ત્યારે આ મામલે કોંગી નગરસેવકની રજૂઆત બાદ જીલ્લા કલેકટર પ્રજાના પડખે આવી કોઇ કાર્યવાહી કરાવે છે કે કેમ તે જાેવું રહેશે.

error: Content is protected !!