માંગરોળ પાલીકા સભ્યનું ગળોદર નજીક અકસ્માતમાં મોત નિપજ્યું

0

માંગરોળ નગરપાલિકાના વોર્ડ નં.૯ના મહિલા સભ્ય અને તેમના દિયર બાઇક ઉપર માળિયા હાટીના જઇ રહ્યા હતા ત્યારે ગળોદર ચોકડી પાસે ટ્રકે તેમની બાઇકને હડફેટે લેતાં દિયર ભોજાઇના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવની વિગત એવી છે કે, માંગરોળ નગરપાલિકાના વોર્ડ નં.૯ના સભ્ય કાન્તાબેન જાદવભાઈ ગોહેલ અને તેમના દિયર દિનેશભાઈ રામાભાઈ ગોહેલની પુત્રીઓ માળિયા સાસરે હોય, તેઓને મળવા જઈ રહ્યા હતા. એ દરમ્યાન બપોરે સોમનાથ હાઈવે ઉપર ગળોદર પાસે ટ્રકે બાઈકને હડફેટે લેતા બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ થતા મૃતકના પરિવારજનો, આગેવાનો, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો દોડી ગયા હતા. માળિયા સરકારી હોસ્પિટલમાં બંને મૃતદેહોનું પોસ્ટમાર્ટમ કરાયું હતું. બનાવને પગલે વણકર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાવની તપાસ માળિયા હાટીના પોલીસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!