જૂનાગઢ : શેરનાથ બાપુનાં આશ્રમે સંતવાણીની મોજ માણતા પૂ.ભાઈશ્રી તથા સંતો

0

જૂનાગઢનાં ગોરક્ષનાથ આશ્રમે પૂ. શેરનાથ બાપુનાં સાંનિધ્યમાં પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ઓનલાઈન શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ ચાલી રહયો છે. જેમાં દરરોજ રાત્રે સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી મર્યાદીત સંખ્યામાં સંતવાણીનો કાર્યક્રમ યોજાય છે. ગઈકાલે રાત્રે પૂ. બાપુનાં આશ્રમ ખાતે લોકગાયક મયુર દવે સહીતનાં કલાકારોએ સંતવાણીનાં સુરો રેલાવ્યા હતાં. પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, પૂ. શેરનાથ બાપુ, પૂ. ઈન્દ્રભારતી બાપુ તેમજ પૂ.ભાઈશ્રીનાં સેવક ભાઈશંકરભાઈ જાેષી, હાર્દિકભાઈ જાેષી, પ્રવિણભાઈ દવે તેમજ લખનભાઈ ઓડેદરા સહીતનાંએ સંતવાણીનો આનંદ માણ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!