કોરોના પછી આવી પડેલ તકલીફમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા માતા-પિતા ગુમાવનાર દીકરીના આદર્શ લગ્ન સંપન્ન

0

જૂનાગઢમાં લુહાર સમાજની દીકરી મીનાબેન નટવરલાલ કારેલીયાના આદર્શ લગ્ન સંપન્ન થયા હતા. માતાપિતાની છત્ર છાંયા ગુમાવનાર આ દીકરીના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.૧-૮-૨૦૨૧ને રવિવારના રોજ સંસ્થાના  સત્સંગ હોલ ખાતે આદર્શ લગ્ન યોજી દાતા જે.પી. પિત્રોડા ટ્રસ્ટ ગોંડલ તેમજ દેવતણખીધામ મજેવડી તેમજ ધૃતિબેન તુષારભાઈ અવાસીયાના આર્થિક સહયોગથી કબાટ, સેટી, પલંગ, સોનાનો દાણો, ખુરશી તેમજ ૫૪ જેટલી વસ્તુઓ દાતાના સહકારથી આપી દીકરીને સાસરે વળાવી હતી. જેમાં દીકરીને માં-બાપની કમી ન વર્તાય તેવી દરેક કાળજી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ તેમજ તેમના ટ્રસ્ટી સભ્યોએ લીધી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, રાજેશભાઈ પિત્રોડા, ધૃતિબેન તુષારભાઈ અવાસિયા, બટુક બાપુ, વજુભાઇ ધકાણ, દામજીભાઇ પરમાર, રજનીભાઇ શાહ, અજીતભાઈ ગોધવાણી, પ્રવિણાબેન વાઘેલા, મનહરસિંહ ઝાલા, કે.કે. ગોસાઈ, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, સરોજબેન જાેષી, પ્રવીણભાઈ જાેષી, કેતનભાઈ નાંઢા, મનોજભાઈ સાવલિયા વિગેરે ખાસ ઉપસ્થિત રહેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!