જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

0

જૂનાગઢમાં કડીયાવાડ વિસ્તારમાં રામાપીર મંદિરવાળી શેરીમાં રહેતા સંજય ઉર્ફે સની હરેશભાઈ ભરાડીયા (ઉ.વ.રપ)નાં પત્નીએ આશરે પાંચેક વર્ષ પહેલા ગળાફાંસો ખાઈ લેતા તેના આઘાતમાં સંજય ઉર્ફે સનીને દારૂ, જુગારની લત લાગેલ હોય અને એકલવાયુ જીવન જીવતો હોય જેથી જીંદગીથી કંટાળી પોતાની મેળે પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ તપાસ ચલાવી રહી છે. સેલફોર્સનાં ટીકડા ખાત મૃત્યું જૂનાગઢનાં કામદાર સોસાયટીમાં રહેતા અરૂણભાઈ મોહનભાઈ પટ્ટણી (ઉ.વ.૬પ)એ સેલફોર્સનાં ટીકડા ખાઈ લેતા તેમને સારવાર માટે લઈ જવામાં આવેલ પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!