આજે ફુલ કાજળી વ્રત : શિવાલયોમાં કુંવારીકાઓએ શ્રધ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી

0

પવિત્ર શ્રાવણ માસ એટલે વ્રત અને તહેવારોનો. મહિનો આજરોજ શ્રાવણ માસની ત્રીજનાં દિવસે કુંવારી કન્યાઓ શિવમંદિરમાં વહેલી સવારે પહોંચી શાસ્ત્રોક્ત વિધિ કરી પૂજા-અર્ચના કરી ભોલેનાથને અર્પીત કરેલ સુગંધિત પુષ્પો સાથે લાવીને ફળાહાર કરતી વખતે ફુલ સૂંઘીને કરે છે અને આજે ભોળેનાથની આરાધના કરે છે. પૌરાણિક કથાઓ અનુસારમાં પાર્વતીએ મહાદેવ સાથે લગ્ન કરવા માટે વ્રત કર્યું હતું અને એ પરંપરા મુજબ આજે પણ કુંવારી કન્યાઓ મનોવાંચ્છીત વર મેળવવા કુલ કાજળીનું વ્રત કરે છે. કેશોદ શહેરમાં આવેલાં જુદા-જુદા શિવાલયોમાં સવારથી કુંવારી કન્યાઓએ પૂજાપો લઈને શ્રધ્ધાપૂર્વક કુલ કાજળીનાં વ્રત નિમિત્તે પૂજા આરાધના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!