કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ જૂનાગઢ દ્વારા સુખનાથ ચોક ખાતે આવતીકાલે સ્વાતંત્ર પર્વની ઉજવણી થશે

0

જૂનાગઢમાં કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આવતીકાલે તા.૧પ/૮/ર૦ર૧ના રવિવારના રોજ સવારે ૧૦ઃ૧પ કલાકે જૂનાગઢ શહેરના સુખનાથ ચોક ખાતે ૭પમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે. માજી કોર્પોરેટર વહાબભાઈ રજાકભાઈ કુરેશીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે. જયારે મુખ્ય મહેમાન તરીકે મેયર ધીરૂભાઈ ગોહેલ, ધારાસભ્ય ભિખાભાઈ જાેષી, બટુકભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્મા, નગર સેવક અબ્બાશભાઈ કુરેશી, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ઠુમર, નગર સેવક અસલમભાઈ કુરેશી ઉપસ્થિત રહેશે. આ તકે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, આગેવાન, નગરસેવક પણ ખાસ ઉપસ્થિત રહેશે. કોમી એકતા અને રાષ્ટ્રીય એકતા અમર રહો તેમજ આઝાદી અમર રહોની શુભ કામનાઓ પાઠવવામાં આવશે. આયોજકો તરફથી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!