સોમનાથના સાંનિધ્યમાં યોજાઈ ઓસમાણ મીરની ભજન સંધ્યા

0

જેમના કંઠનો આહ્લાદ વિશ્વભરમાં વસતા ભારતીયોને આકર્ષે છે એવા ગાયક – સ્વરકાર ઓસમાણ મીરની સુંદર ભજન સંઘ્યા તાજેતરમાં વિખ્યાત તીર્થ સોમનાથમાં યોજાઈ હતી. શિવ ભક્તિના અનેક ભજનો, સ્તુતિ , આરતી ગાનાર ઓસમાણ મીર સોમનાથના દર્શન કરવા અનેક વાર જાય છે. ત્યાં પોતાનું આ વર્ષનું શિવ ભજન પણ હમણાં લોન્ચ કર્યું હતું. ત્યાર બાદ થોડા જ દિવસ અગાઉ ભીખુભાઈ ધામેલીયા પરિવાર તરફથી સોમનાથના સાંનિધ્યમાં ભજન સંધ્યા યોજાઈ હતી જેમાં શિવ ભક્તિ અને અન્ય રચનાઓ ગાઈ ને ઓસમાણ મિરે લોકોના હૈયા જીતી લીધા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓસમાણ મીરને એમણે શુભેચ્છા પાઠવી હતી.  શિવભક્તો માટે, સંગીત રસિકો માટે આ કાર્યક્રમ યાદગાર બની ગયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!