માંગરોળનાં લોએજ ગામે જરૂરીયાતમંદ પરિવારોને મીઠાઈ-ફરસાણ વિતરણ

0

માંગરોળનાં લોએજ ગામે સ્વ. લક્ષ્મણભાઇ એ. નંદાણીયા સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા આ કારમી મોંઘવારીમાં જરૂરીયાતમંદ પરિવારોને સાતમ આઠમના તહેવારો નિમિત્તે મિઠાઇ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવેલ હતું. સ્વ. લક્ષ્મણભાઈએ નંદાણિયા સેવા કાર્ય ટ્રસ્ટ-માંગરોળ દ્વારા સાતમ આઠમના તહેવાર નિમિત્તે લોએજ ગામમાં અતિ જરૂરિયાતમંદ એવા ૪૦ પરિવારને ફરસાણ અને મીઠાઈની કીટ આપવામાં આવેલ હતી. આ તકે ટ્રસ્ટના પ્રમુખ જેઠાભાઈ નંદાણિયાની શુભેચ્છા સાથે લોએજ ગામના સરપંચ રવિભાઈ નંદાણિયા, ગ્રામપંચાયત ઉપસરપંચ રામભાઈ ચાંન્ડેરા, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ નંદાણિયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગોવાભાઈ ચાંન્ડેરા, ગામના વડીલ નથૂભાઈ બામરોટીયા, રામભાઈ નંદાણિયા(શિક્ષક) વિગેરે હાજર રહી આ સેવા યજ્ઞમાં સેવા આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!