જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સમયમર્યાદામાં વ્યવસાયવેરો જમા કરાવવા સુચના

0

પગારદારો, વેતનદારો અને વ્યવસાયીઓ/વેપારીઓ પાસેથી વ્યવસાયવેરો ઉઘરાવવાની કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકાને સોંપાયેલ છે. તમામ વ્યવસાયવેરાની વર્ષ ર૦ર૧-રરની તથા પાછલી બાકી રહેતી રકમ તા.૩૦/૯/ર૦ર૧ સુધીમાં ભરપાઈ કરવા અનુરોધ છે. વ્યવસાયવેરો મુદત હરોળમાં ભરપાઈ કરવામાં નહીં આવે તો આ સામીઓ સામે વ્યવસાયવેરા કાયદાની જાેગવાઈ હેઠળ કડક પગલા ભરવામાં આવશે તેમ જૂનાગઢ મહાનગરપાલિકા સેવા સદનની અખબારી યાદીમાં જણાવ્યું છે. દુકાનદારો/વેપારીઓ, તબીબો વ્યવસાયીઓ, ટેકનીકલ અને પ્રોફેશનલ કન્સલ્ટન્ટો, વિમો એજન્ટો, કોન્ટ્રાકટરો, ટુર ઓપરેટરો, કેબલ ટીવી ઓપરેટરો, એડવર્ટાઈઝીંગ એજન્ટો, પાર્ટી પ્લોટ, સિનેમા ઘરો, આંગડીયા સર્વિસો, પ્રાઈવેટ લી. કંપનીઓ, બેન્કો, એસ્ટેટ એજન્ટો, કારખાના માલિકો વગેરે સર્વિસ પ્રોવાઈડરોએ વ્યવસાયવેરાની રકમ ઓફીસ સમય દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકા સેવા સદન બિલ્ડીંગમાં રૂમ નં.ર૦૭માં જમા કરાવી દેવા તેમજ જે કરદાતાઓએ વ્યવાસયવેરા અંગે રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય અને વ્યવસાયવેરો ભરેલ ન હોય તેવા કરદાતાઓ પાસેથી દંડ અને વ્યાજ સાથે વ્યવસાયવેરો વસુલ કરવામાં આવશે. વ્યવસાયવેરા અંગે રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેવા વ્યવસાયીઓએ તાત્કાલીક રજીસ્ટ્રેશન કરાવી દેવા અધિક કમિશ્નર વ્યવસાયવેરા અને નાયબ કમિશ્નર મહાનગર સેવા સદન જૂનાગઢ દ્વારા કરદાતાઓને જાણ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!