અનૈતિક સંબંધ ખુલ્લા પાડવાની ધમકીને પરીણામે ગળાફાંસો ખાધો હોવાની પોલીસ ફરીયાદ

0

રાજકોટ લક્ષ્મી સોસાયટી ખાતે રહેતા ડો. રાજ ચુનીલાલ પરમાર (ઉ.વ.ર૯)એ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ગત તા. ૬-૭-ર૦ર૧નાં ૧૭.૩૦ કલાક પહેલા ગિરનાર પર્વતનાં ૪૦૦ પગથીયાએ ફરીયાદીનાં પિતાજી ચુનીલાલ પરમારે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યાનાં બનાવ અંગે ગઈકાલે રાત્રીનાં ૮.૩૦ કલાકે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે જેમાં જણાવેલ છે કે, ફરીયાદીનાં પિતાજીને જયોત્સના મકવાણા સાથે અનૈતિક સંબંધ હોય અને તહોમતદાર નં.ર ચંદુભાઈ નાગર તેના પતિ થતા હોય તેઓએ ફરીયાદીનાં પિતાજી ચુનીલાલ પુંજાભાઈ પરમાર પાસે અવારનવાર પૈસા તથા વસ્તુઓની માંગણી કરી જાે આ પૈસા નહી આપવામાં આવે તો સમાજમાં ખુલ્લા પાડવાની ધમકી આપી માનસીક ત્રાસ તથા આર્થિક શોષણ કરી મરવા માટે મજબુર કરતા ચુનીલાલ પરમારે ગિરનાર પર્વતનાં ૪૦૦ પગથીયા પાસે ઝાડ ઉપર ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હોવાનું પોલીસ ફરીયાદમાં નોંધાવતા ભવનાથ પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!