જૂનાગઢ જીલ્લાનાં રેલ્વે ફાટકો બંધ કરવા અંગેની એન.ઓ.સી. આખરે રદ થઈ

0

જૂનાગઢ જિલ્લામાં આવેલા રેલવે ફાટકો બંધ કરવાના ર્નિણયને લઈને જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, બિલખા, વિસાવદર, માળીયાહાટીના, મેંદરડા સહિત ૨૮ જેટલા ફાટકો બંધ કરવા અંગે એન.ઓ.સી. આપવામાં આવી હતી, જેને લઇને, બિલખા, વિસાવદર, સતાધાર, કાસીયા નેસ તેમજ ભાડેર સાથે સંકળાયેલ ૨૮ જેટલી જગ્યાએ ફાટકો બંધ થવાના ર્નિણયને લઈને ફાટકની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને એક ગામથી બીજે ગામ આવવા જવા ઉપર  પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે તે બાબતની રજૂઆત જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને વિસાવદર તાલુકાના જુની ચાવંડ, પ્રેમપરા, માંડણપરા, તોરણીયા સહિત ગામના આગેવાનો તેમજ ૨૮ જેટલા ફાટકો સાથે સંકળાયેલા ગામના સરપંચો દ્વારા કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇને સાંસદ રાજેશ ચુડાસમા તેમજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કિરીટ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી દ્વારા ફાટક બંધ કરવાના ર્નિણયને તાત્કાલિક અસરથી રદ કરવા લોકહિતને ધ્યાને રાખી જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆતને ધ્યાને લઈ જિલ્લા કલેકટર રચિત રાજે જરૂરી ખરાઇ કરી તાત્કાલિક અસરથી રેલવે ફાટક બંધ કરવાની એન.ઓ.સી. રદ કરી દીધી છે.  આ સાથે સંસદ રાજેશ ચુડાસમા અને અધ્યક્ષ કિરીટ પટેલ સાથે મીડયા દ્વારા કરાયેલ વાતચીત દરમ્યાન જ્ણાવાયું હતું કે, જૂનાગઢ જિલ્લાના વિસાવદર  તાલુકાના લોકો દ્વારા અમોને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત અમોએ જિલ્લા કલેક્ટરને કરી હતી જેને કારણે જૂનાગઢ જિલ્લામાં ૨૮ જેટલા રેલવે ફાટકો બંધ કરવાના ર્નિણયને રદ્દ કરવાથી જૂનાગઢ સહીત બીલખા, વિસાવદર, સતાધાર, કાસીયા નેસ સહિત ફાટકો સાથે સંકળાયેલા ગામના લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છેે. ગ્રામજનો તેમજ સરપંચો દ્વારા સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણીનો આભાર માનવામાં આવ્યો હતો. આમ પ્રજાના હિત માટે કામ કરતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદરોએ ફાટક બંધ થવાના ર્નિણયને રદ્દ કરાવવામાં અને આ લોક ઉપયોગી સગવડ બંધ ના થાય અને લોકોને મળતી રહે એ માટેની આ લડતના સફળ પરિણામ અંગે જણાવ્યું હતું કે, લોકોના સહકારથી આ શક્ય બન્યું છે. આ તકે સાંસદ રાજેશ ચુડાસમા અને જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ ભાજપના આગેવાનોએ લોકોનો પણ ખુબ ખુબ આભાર માન્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!