ગીર સોમનાથના ૬ તાલુકામાં સાર્વત્રીક ૨ ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક

0

ગઈકાલે સવારથી ગીર સોમનાથ જીલ્લાના ૬ તાલુકામાં અવિરત ધીમીધારે વરસાદ વરસી રહયો છે. જેમાં ૬ તાલુકામાં સરેરાશ ૧ થી ૨ ઇંચ વરસાદ વરસયાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ધીમીધારનો વરસાદ ખેડૂતોના પાકને નવજીવન મળ્યા સમાન હોવાથી જગતનો તાત ખુશખુશાલ થઇ ગયો છે. ગીર જંગલ અને ઉપરવાસમાં થઇ રહેલ ભારે વરસાદના પગલે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર જલમગ્ન થઇ ગયુ હતું. સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં રવિવારની આખી રાત્રી વિજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બાદ ગઈકાલે સવારથી જીલ્લાના ૬ તાલુકાના આકાશમાં કાળા ડીંબાગ ઘેરાયેલા વાદળો સાથે મેઘરાજા હેત વરસાવી રહયા હતા. સમગ્ર જીલ્લાામાં સવારથી સાંજ સુધીધીમી ધારે હેત વરસાવી રહયા હતા. જેમાં ગઈકાલે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં વેરાવળમાં ૨૨ મીમી (૧ ઇંચ), સુત્રાપાડામાં ૨૦ મીમી (પોણો ઇંચ), તાલાલામાં ૫૦ મીમી (૨ ઇંચ), કોડીનારમાં ૧૮ મીમી (પોણો ઇંચ), ગીરગઢડામાં ૩૩ મીમી (૧.૫ ઇંચ) અને ઉનામાં ૨૦ મીમી (પોણો ઇંચ) વરસાદ વરસ્યો છે. ધીમા વરસાદના પગલે ખેતરોમાં મુરઝાવવાની કગારે પહોંચેલ પાકોને નવજીવન મળતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. તો આખો દિવસ ઝાંપટારૂપી સતત વરસેલ વરસાદના પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગઇ હતી. સુત્રાપાડા પંથકમાં ધીમીધારે અને ઉપરવાસના ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસેલ વરસાદના પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થની પૂર્વ વાહિની સરસ્વતી નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ ગઇ હતી. જેના લીધે સરસ્વતી નદીના પટમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થનું માધવરાયજી મંદિર જલમગ્ન થઇ ગયું હતું. આ મંદિર દર વર્ષે ચોમાસા દરમ્યાન અનેક વખત જળમગ્ન થઇ જાય છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો હોવાથી પાંચેક દિવસ પહેલા થયા બાદ ફરી માધવરાય મંદિર જળમગ્ન થઇ ગયુ છે. સરસ્વતી નદીમાં આવેલ પુર જાેવા ગ્રામજનો કાંઠે ઉમટયા હતા. ગીર જંગલમાં ભારે વરસાદને કારણે તાલાળા ગીરના જાંબુર ગામેથી પસાર થતી સરસ્વતી નદીમાં વરસાદી પાણીની ભરપુર આવક જાેવા મળી હતી. ત્યારે નદીના ઘસમસતા પાણીના પ્રવાહમાં જાંબુર ગામના સિદી યુવાનો પુલ ઉપરથી જાેખમી જમ્પ લગાવી રહ્યા હતા. જીવનાં જાેખમે સરસ્વતી નદીમાં ઘસમસતા પાણીમાં સિદી બાદશાહ યુવાનો છલાંગો મારી નદીના પુરમાં જાેખમી આનંદ પણ ઉઠાવી રહ્યા છે. જેના વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયા છે. ગીર સોમનાથ જીલ્લાના સૌથી મોટા હિરણ-૨ ડેમમાં એક જ દિવસમાં ૪.૫ (સાડા ચાર) ફૂટ નવું પાણી આવ્યું છે. હિરણ-૨ ડેમ ત્રણ તાલુકાના બે શહેરો અને ૮૦ જેટલા ગ્રામ્ય વિસ્તારોના ગામોને, બે ઉદ્યોગો અને સોમનાથ ટ્રસ્ટને પીવાનું પાણી પુરૂ પાડે છે. ગીર જંગલ નજીક ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ-૨ ડેમમાં જંગલ વિસ્તારમાં વરસતા વરસાદનું પાણી કુદરતી નદી-નાળા મારફત ઠલવાય છે. ત્યારે ગીર જંગલ વિસ્તાર અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે હિરણ-૨ ડેમમાં પાણીની આવક શરૂ થયેલ અને નવું પાણી આવતાં  ડેમ ૩૮ ટકા ભરાય ગયેલ હોવાનું ડેમ અધિકારી કાલસરીયા અને સીંઘલે જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!