ગીરગઢડાના સાણાવાકયા ગામે ડુંગરના વિકાસના નામે મંજુર થયેલ કામોની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા માંગ

0

ગીરગઢડા તાલુકાના સાણાવાકયા ગામે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આંબલીયા જામકા ગામ અને જાફરાબાદ તાલુકાના માણસા ગામની વચ્ચે મંદિરો અને પ્રાચીન બૌદ્ધ ગુફાઓ આવેલ છેે. સાણા ડુંગર અને હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે શાણા ડુંગર ગુપ્ત વાસ દરમ્યાન પાંડવોએ વસવાટ કરેલ તેવી લોકવાયકા છે. સાણા ડુંગર હાલ પુરાતત્વ વિભાગ હસ્તક છે, સાણા ડુંગર વિકાસ માટે ભારત સરકારની સુરેશ દર્શન યોજના દ્વારા કરોડો રૂપિયાની રકમ મંજુર કરવામાં આવેલ છે તેમાં વહીવટી તંત્ર દ્વારા ૨૦૧૭માં જાણવામાં આવેલ પરંતુ આજની તારીખે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ કામો થયેલ હોય તેમ જણાતું નથી. બીજી બાજુ  મળેલ માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન વિભાગ દ્વારા સાણા ડુંગર એક દોઢ કિલોમીટર દૂર ખાનગી માલિકીની જગ્યા રામેશ્વર હનુમાનજીના નામે કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને તેની કામગીરી પૂરજાેશમાં રાત દિવસ ચાલુ છે. ખાનગી માલિકીની જગ્યા અગાઉ સરકાર દ્વારા સાથળીમાં સ્થાનિક તથા બહારના લોકોએ આપવામાં આવેલ હતી ત્યારબાદ સાથણીની મળેલ જમીનમાં માલિકોએ આ જમીન ખાનગી સંસ્થાને વેચી દીધેલી. આ જગ્યા પાસે રામેશ્વર હનુમાનજીની નાની દેરી આવેલ છે અને કોઈ પણ પ્રકારનું મોટું મંદિર આવેલ નથી તેમજ દર વર્ષ દરમ્યાન કોઈપણ પ્રકારના મોટા ધાર્મિક પ્રસંગો ઉજવાતા નથી કે મોટી સંખ્યામાં ગામલોકોએ બહારના લોકો પણ આ મંદિરમાં દર્શનનો લાભ લેતા નથી કે જતા નથી. સંસ્થા દ્વારા આ જમીન સંસ્થા બિનખેતી કર્યા સિવાય શાણેસ્વર હનુમાનજી મંદિર નામે વિકસાવવા માટે રેકોર્ડ ઉપર ખોટી હકિકત તો મૂકી સરકારને ગેરમાર્ગે દોરીને તેના વિકાસ માટે કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા જેથી સાણાવાકયા ગામે વિકાસના નામે મંજુર કરાયેલ કામોની તટસ્થ તપાસ થાય તેવી રજૂઆત સાથે ગ્રામવાસીઓએ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!