સોમનાથ મહાદેવ મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ભાવભકિત-પૂજન સાથે ઉજવાશે

0

ગુજરાતનાં પનોતા પુત્ર અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૧મો જન્મદિવસ વિશ્વપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભકિત, પૂજન, અર્ચન સાથે તા.૧૭ સપ્ટેમ્બરે ઉજવાશે. આ મંગળકારી દિવસે સોમનાથ મંદિરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દીર્ઘાયુષ્ય મંત્રજાપ, વિશેષ મહાપૂજા અને સાંધ્ય દિપમાળા-શ્રૃંગાર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવાશે.સોમનાથ મંદિરનાં વિકાસમાં તેમણે આપેલો અખૂટ સહયોગથી મંદિર આજે વિશ્વ ફલક ઉપર ઝળહળતું થયું છે. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટનાં સક્રિય સેવાભાવી અને દીર્ઘાદ્રષ્ટા વીઝનરી ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઈ લહેરી અને સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, પંડિતો, શુભેચ્છકો ઉપસ્થિત રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!