જૂનાગઢમાં સિનિયર સીટીઝનની મુંઝવણનો ઉકેલ પોલીસે લાવી આપી પ્રસંશનિય કામગીરી કરી

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા અને પીડાબલ્યુડી વિભાગમા નોકરી કરી, રીટાયર્ડ થયેલા સિનિયર સીટીઝન પ્રવીણભાઈ મણિશંકર જાેશી(મો. ઃ ૯૮૯૮૦ ૪૨૯૮૪) બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ જાેશીએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતે પીડાબલ્યુડીમાંથી નિવૃત્ત થયા બાદ પોતાની મરણ મૂડીમાંથી મધુરમ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં મકાન લીધેલ હતું. પોતાની દીકરીના ભૂતકાળમાં લગ્ન કરેલ અને જમાઈ સાથે દોઢેક વર્ષ પહેલા છુટા છેડા થયેલ, એ જમાઈએ કોઈ વિરમભાઈ બોરખતરીયા પાસેથી રૂપિયા લીધેલ હતા. હાલમાં પોતાને પોતાના જમાઈ સાથે કોઈ સંબંધ નહીં હોવા છતાં, તેની પાસે માંગતા રૂપિયાની ઉઘરાણી માટે આ વિરમભાઈ એ પોતાની માલિકીના મકાનમાં પોતાનું તાળું મારી દઈ, કબજાે કરી, રૂપિયા આપો તો જ મકાનનો કબજાે આપવા ધમકી આપેલ હતી. સિનિયર સીટીઝન નિવૃત કર્મચારીને પોતાની માલિકીનું માતબર રકમનું મકાન ખોવાનો વારો આવતા, મુંઝાયા હતા અને પોતાની વર્ષોની મરણ મૂડી સામાન કમાણીના રૂપિયાથી બનાવેલ મકાન પચાવી પાડવાનો ભય લાગતા, ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે. ગઢવી, સ્ટાફના હે.કો. નારણભાઇ, ઇન્દુભા, પો.કો. આઝાદસિંહ, સંજયસિંહ, નાગદાનભાઈ, કૈલાશભાઈ, ચેતનસિંહ સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે અરજદાર સિનિયર સીટીઝન કર્મચારીનું મકાન પચાવી પાડનાર વિરમભાઈને બોલાવી, મકાનની ચાવી આપી દેવા, પોલીસની ભાષામાં સમજાવતા, અરજદાર સિનિયર સીટીઝન કર્મચારીના મકાનની ચાવી પરત આપવા માટે તૈયાર થઈ ગયેલ હતો અને મકાનની ચાવી ઉભા ઉભા આપી દીધા હતા. ઉપરાંત, હવે પછી કોઈ દિવસ આ બાબતે તેને નહીં બોલાવવા ખાતરી આપતા, સિનિયર સીટીઝન એવા અરજદાર કર્મચારી તથા સમાજના પ્રમુખ મહેશભાઈ જાેશી તથા કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.  જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, રિટાયર્ડ સિનિયર સીટીઝન એવા કર્મચારીને મદદ કરવીએ પોલીસની અગત્યની ફરજ ગણાવી, અરજદારને તકેદારી તથા સાવચેતી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના કમાણી સમાન માતબર રકમના મકાન પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગીની કમાણી સમાન માતબર રકમનું મકાન પોતાને પરત ના મળતી, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારને પોતાની જીવન મરણ સમાન મકાન પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!