વેરાવળ જીઆઈડીસીમાં સ્વચ્છતા અભિયાન સાથે પ્લાસ્ટિક મુક્ત પરિસરનો નિર્ધાર કરતા ઉદ્યોગપતિઓ

0

વેરાવળ જીઆઈડીસીમાં ધી વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને જીલ્લા ઉદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક વિસ્તારમાં આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વહીવટી તંત્રની નેમને અનુસરીને ઔદ્યોગિક વિસ્તારમાંથી પ્લાસ્ટિક કચરો દૂર કરવામાં આવ્યો હતો. સાથે જીઆઈડીસીના પરિસરોને પ્લાસ્ટિક મુક્ત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.  આ સફાઈ અભિયાનમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર પી.બી.પટેલ, મદદનીશ ઈજનેર કે.પી.ગોહીલ, ધી વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ ઓસો.ના પ્રમુખ ઈસ્માઈલભાઈ મોઠીયા, સી ફૂડ એક્સપોર્ટ એસો.ના પ્રમુખ કેતનભાઈ સુયાણી, સભ્યો સાજીદભાઈ પટ્ટણી, યુસુફભાઈ કાલવાણી તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં કર્મચારીગણ અને સફાઈ કામદારો જાેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!