ગુરૂવારે ગુરૂ પુષ્યામૃત યોગ – ખરીદી અને જપ-તપ અનુષ્ઠાન માટે ઉત્તમ દિવસ

0

ગુરૂપુષ્યામૃત યોગ આસો વદ-૭ને ગુરૂવાર તા.૨૮-૧૦-૨૦૨૧ના રોજ છે. ગુરૂપુષ્યામૃત યોગ સવારે ૯:૪૨થી છે. આ ગુરૂપુષ્યામૃત યોગમાં વ્યાપારના ચોપડા ખરીદવા ઘરની જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવી, પૂજાની સામગ્રી ખરીદવી, સોના-ચાંદીની ખરીદી કરવી અત્યંત ઉત્તમ અને શુભ ફળદાયી રહેશે. પુષ્ય નક્ષત્રમાં એવા ગુણધર્મ છે કે, જે સારી બાબતમાં હંમેશા વધારો કરે છે. આથી જ પુષ્યનક્ષત્ર શ્રેષ્ઠ ગણાય છે અને ખાસ કરીને ગુરૂપુષ્યામૃત યોગ અને રવિ પુષ્ય યોગ દિવસ ઉત્તમ ગણાય છે. આ ગુરૂપુષ્યામૃત યોગના દિવસે જપ કરવા, શ્રી યંત્રની પૂજા કરવી, યંત્ર સિદ્ધ કરવું, મંત્ર સિદ્ધ કરવો પણ ઉત્તમ ગણાશે અને સારા આરોગ્ય માટે ઔષધી ગ્રહણ કરવી પણ ઉત્તમ છે.

ગુરૂવારના શુભ ચોઘડીયા : શુભ ૬:૫૦ થી ૮:૧૫ , ચલ ૧૧:૫ થી ૧૨:૩૦ સુધી.

બપોરના ચોઘડીયા : લાભ , અમૃત ૧૨:૩૦ થી ૩:૨૧ સુધી.

સાંજના ચોઘડીયા : સાંજે શુભ ૪:૩૦ થી ૬:૧૨ સુધી

રાત્રીના ચોઘડીયા : અમૃત, ચલ ૬:૧૨ થી ૯:૨૧ સુધી.

ચોપડા ખરીદવા ઓર્ડર આપવા માટે શુભ દિવસ છે. સુર્વણ, રજત, શ્રીયંત્ર, કુબેર યંત્ર ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ છે. જે લોકોની જન્મ કુંડળીમાં ગુરૂ ગ્રહ નબળો હોય અથવા તો સાંસારિક જીવનમાં મુસીબતો હોય તો આ ગુરૂપુષ્યામૃત યોગના દિવસે ગુરૂ ગ્રહના જાપ કરવા અથવા જાણકાર બ્રાહ્મણ પાસે કરાવવા જેથી સંસારની મુસીબતો દૂર થશે. તે ઉપરાંત આ દિવસે મહાદેવજીને ચણાની દાળ ચડાવી ચણાની દાળનું દાન પણ દઇ શકાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!