અહમદનગર હોસ્પિટલની આગ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુ તરફથી સહાય

0

મહારાષ્ટ્રના પુના નજીકના અહમદનગર ખાતે ગઈકાલે સરકારી હોસ્પિટલમાં આગ લાગી હતી. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં ૧૧ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ ૧૧ હતભાગી લોકોના પરિવારજનોને શ્રી હનુમંત સાંત્વના રૂપે પ્રત્યેકને રૂપિયા ૫ હજાર પ્રમાણે તત્કાલ સહાયતા રાશી મોરારિબાપુની સુચનાનુસાર મોકલવામાં આવશે. જેની કુલ રકમ ૫૫ હજાર થાય છે. મુંબઈ સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ સહાયતા પહોંચતી કરવામાં આવશે. મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારિબાપુએ પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!