જામકંડોરણામાં હઝરત મોટાપીરની દરગાહ શરીફ ખાતે તા.૧પ થી તા.૧૭ નવેમ્બર સુધી ત્રીદિવસીય જશ્ને ઉર્ષ મુબારક યોજાશે

0

જામકંડોરણા શરીફની સ૨જમીન ઉ૫૨ ઈન્શાહઅલ્લાહ હઝરત મોટાપીર દરગાહ શરીફ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૧૫-૧૧-૨૦૨૧ તથા તારીખ ૧૬-૧૧-૨૦૨૧ તથા તારીખ ૧૭-૧૧-૨૦૨૧ સોમવાર, મંગળવાર, બુધવા૨ ૨બ્બીઉલ આખર તારીખ ૯-૧૦-૧૧ હિજરી ૧૪૪૩ શાનો શૌકત સાથે ત્રણ દિવસ સુધી જશ્ને ઉર્ષ મનાવવામાં આવશે. જેમાં ત્રણેય દિવસ બંને ટાઈમ આમ ન્યાઝ તથા રોજ રાત્રે ૧૦ કલાકે નાત શરીફ મનકબત તથા વાએઝ શરીફનાં રૂહાની પ્રોગ્રામ રાખેલ છે. આ ત્રણ દિવસીય જશ્ને ઉર્ષ દરમ્યાન મુકરરે ખુસુસી ફખે ગુજરાત અલ્લામા મૌલાનાં હઝરત હાફિઝોકારી ઈદ્રીસ ખાન સાહેબ ખલીફ એ શૈખુલ ઈસ્લામ બાલાસીનોર ખાસ હાજરી આપશે. નાતખ્વા બુલબુલે બગદાદ સૈયદ હાજી આલમબાવા મોરબી તથા નાતખ્વા શજાદાએ નકશબંદ હઝરત હનીફ સાહેબ બ્લોચ ધોરાજી ઉર્ફે રાહી ધોરાજવી પેસ કરશે. આ પ્રોગ્રામમાં મહેમાન ખુસુસી સાદતે કિરામ, ઓલમા એ કિરામ તશરીફ લાવી રહ્યા છે. તો સર્વે અકીદત મંદો મુસ્લિમ ભાઈ-બહેનો સૌએ ટાઈમસર હાજરી આપી સવાબે દારેન હાસીલ કરશો તેવી હજરત મોટાપીર દરગાહ શરીફના ગાદીનસીન અલ્હાઝ હાજી અબ્દુલ્લા હાજી વલી મોહમ્મદ, જામકંડોરણા, મો.નં. ૯૯૧૩૨ ૧૬૦૨૧ દ્વારા ગુજારીશ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!