કાલે જામજાેધપુરનાં ધુનડા સતપુરણધામ આશ્રમે દેવ દિવાળી અને ગુરૂનાનક જયંતિ નિમિતે પૂ. જેન્તિરામ બાપાનો સત્સંગ

0

જામજાેધપુરથી ર૧ કિ.મી.નાં અંતરે આવેલ ધુનડાનાં સત પુરણધામ આશ્રમ ખાતે કાલે દેવ દિવાળી અને ગુરૂનાનક જયંતિ નિમિતે રાત્રે ૯ કલાકે પૂ. જેન્તિરામ બાપાનાં ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં પૂ. જેન્તિરામ બાપા આધ્યાત્મિક જીવનમાં નિરાકારરૂપથી સાકાર સ્વરૂપની યાત્રા કેવી રીતે થાય તે અંગે માર્ગદર્શન આપશે. તેમજ આપણા શાસ્ત્રો પુરાણોમાં રહેલ દેવ દિવાળી તથા ગુરૂનાનક જયંતિનું અને જીવનમાં ગુરૂનો મહિમા, શું ગુરૂની ભૂમિકા તે વિષય ઉપર સત્સંગ દ્વારા મુમુક્ષો સોૈ ભકતોને પ્રવચન આપશે. આ પ્રસંગે સોૈરાષ્ટ્ર-કચ્છ ગુજરાત, મુંબઈ તેમજ દેશ-વિદેશથી ભાવિકો ઉપસ્થિત રહી ધર્મલાભ લેવાનાં હોય જેને ધ્યાને લઈ પૂ. બાપાનાં માર્ગદર્શન હેઠળ આશ્રમનાં વ્યવસ્થાપક હસમુખભાઈ શીલુ મુંબઈ, સેવક સતિષભાઈ પરમાર, રાજેશભાઈ શીલુ, હિતેષભાઈ શીલુ અને કમલેશભાઈ શીલુ સહિત સત પરિવારનાં ભકતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!