મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ર૦ નવેમ્બરે દ્વારકાધીશના દર્શનાર્થે પધારશે

0

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તારીખ ૨૦-૧૧-૨૦૨૧ના શનિવારના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધારનાર છે. જ્યાં તેઓ દ્વારકાધીશ મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન તેમજ પૂજન-અર્ચન કરી નયારા એનર્જીના પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટના શિલાયન્સ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નયારા એનર્જી રિફાઇનરી દ્વારા આયોજિત આ શિલાન્યાસ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશ મેરજા, ધારાસભ્ય આર.સી. ફળદુ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમજ આ તકે ભારત સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ એસ. પુરી કાર્યક્રમમાં ઓનલાઇન જાેડાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!